Gujaratના CM વિજય રૂપાણીની કરાઈ રજત તુલા, ગૌશાળા કલ્યાર્થે અર્પણ કરાશે રજત તુલાની 85 કિલો ચાદી
Gujaratના મુખ્યમંત્રી વિજય રુપાણીને ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં 85 કિલોગ્રામ ચાંદીથી તોલવામાં આવ્યા. ત્યારબાદ મુખ્યમંત્રીએ આ ચાંદી પ્રદેશની ગૌશાળાઓના કલ્યાણ માટે દાન કરી દીધી. આ અવસર પર રુપાણીએ કહ્યુ કે અમારી સરકાર પશુધનના કલ્યાણ માટે કૃતસંકલ્પ છે.
Gujaratના મુખ્યમંત્રી વિજય રુપાણીને ગાંધીનગરમાં આયોજિત કાર્યક્રમમાં 85 કિલોગ્રામ ચાંદીથી તોલવામાં આવ્યા. ત્યારબાદ મુખ્યમંત્રીએ આ ચાંદી પ્રદેશની ગૌશાળાઓના કલ્યાણ માટે દાન કરી દીધી. આ અવસર પર રુપાણીએ કહ્યુ કે અમારી સરકાર પશુધનના કલ્યાણ માટે કૃતસંકલ્પ છે. તેમણે કહ્યું કે અમે ગૌહત્યા રોકવા માટે કડક કાયદો બનાવ્યો છે. જે અંતર્ગત 12 વર્ષ સુધીની જેલ થઇ શકે છે.
પક્ષીઓ માટે કરુણા અભિયાન
વિજય રુપાણીએ કહ્યું કે અમારી સરકારે પશુઓના ઇલાજ માટે 350 વૈટરિનરી વેન ચલાવીને રાખી છે. આ સિવાય ગૌશાળાને આર્થિક મદદ પણ આપવામાં આવી રહી છે. જેથી કરીને ગાયોને સમય પર ચારો પહોંચી શકે . તેમણે કહ્યુ કે અમે પક્ષીઓના ઇલાજ માટે વધારે સારી વ્યવસ્થા ઉભી કરી છે. રુપાણી સરકાર પ્રમાણે સરકારે કરુણા અભિયાનની શરુઆત કરી છે. જે અંતર્ગત કાઇટ ફેસ્ટિવલમાં ઘાયલ થયેલા પક્ષીઓને ઇલાજ માટે લઇ જવામાં આવશે. મુખ્યમંત્રીએ બનાસકાંઠા અને મહેસાણામાં ગૌચર વિકાસ કાર્યોનું ઓનલાઇન ઉદ્દધાટન પણ કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ રાજ્યમાં કોરોનાના વધતા મામલાને જોતા લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. તેમણે કેટલાક દિવસ પહેલા જ કહ્યું હતુ કે અફવાઓ પર ધ્યાન ન આપો. હોળીમાં એક જગ્યાએ લોકો ભેગા ન થાય. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યની જનતાને સંબોધિત કરતા રુપાણીએ કહ્યું કે અમે સુનિશ્ચિત કરવા ઇચ્છીએ છીએ કે કોવિડ-19 મહામારીના કારણે કારોબાર તેમજ અન્ય રોજગાર પર કોઇ અસર નહી પડે. તેમણે જનતાને એ પણ અપીલ કરી કે કોરોનાને લઇને અફવાઓનો શિકાર ન બનો. શનિવારે ગુજરાતમાં કોરોનાના gસૌથી વધારે કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના 2276 કેસ સામે આવ્યા હતા.