ગુજરાતમાં કોરોના નવા 307 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 1965 થઈ
ગુજરાતમાં (Gujarat) કોરોનાના(Corona) નવા કેસ યથાવત રહ્યા છે. જેમાં 24 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 307 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1965 થઈ છે.
ગુજરાતમાં (Gujarat) કોરોનાના(Corona) નવા કેસ યથાવત રહ્યા છે. જેમાં 24 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 307 કેસ નોંધાયા છે. જયારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1965 થઈ છે. તેમજ રાજ્યમાં કોરોના રિકવરી રેટ 98.98 ટકા થયો છે, જયારે કોરોનાથી 360 દર્દીઓ સાજા થયા છે. જેમાં કોરોનાના નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદમાં(Ahmedabad) 84, વડોદરામાં 30 , વડોદરા જિલ્લામાં 31, સુરતમાં 14, સુરત જિલ્લામાં 12, ગાંધીનગરમાં 10, નવસારીમાં 10, સાબરકાંઠામાં 10, વલસાડમાં 10, ડાંગમાં 09, રાજકોટમાં 09, બનાસકાંઠામાં 08, જામનગરમાં 08, મોરબીમાં 08, મહેસાણામાં 07, ભરૂચમાં 06, રાજકોટમાં 06, ગાંધીનગરમાં 05, કચ્છમાં 05, પાટણમાં 05, અમરેલીમાં 04, પંચમહાલમાં 03, અમદાવાદ જિલ્લામાં 02, આણંદમાં 02, ગીર સોમનાથમાં 02, જામનગરમાં 02, ખેડામાં 02, દાહોદમાં 01, સુરેન્દ્રનગરમાં 01 અને તાપીમાં 01 કેસ નોંધાયો છે.
તહેવારોના સમયે સાવધાન રહેજો
આ મહિનાથી રાજ્યમાં થોડા થોડા દિવસના અંતરે તહેવારો આવી રહ્યા છે. તે બધા વચ્ચે મેળવડાઓ પણ વધશે અને સંક્રમણ વધવાની શક્યતા પણ છે. તેવામાં લોકોએ એક બીજાથી થોડુ અંતર રાખવુ જોઈએ અને કોરોનાથી બચવા માટેના તમામ પગલા ભરવા જોઈએ. ગયા વર્ષે પણ તહેવારોમાં થતા મેળાવડા અને ચૂંટણીઓમાં થતી ભીડને કારણે કોરોના કેસ વધ્યા હતા. તે ઘટના ફરી ન બને તે માટે સાવચેતી રાખવી જરુરી છે.
શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત
કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
ચોમાસામાં વધારે સાવધાન રહેજો
ગુજરાતમાં દરેક જીલ્લામાં ચોમાસાનો માહોલ યથાવત છે. ત્યારે રોગચારાનો ખતરો પણ તોળાય રહ્યો છે. ઋતુગત બીમારીઓ, સ્વાઈ ફલૂ, ગાયોમાં લમ્પી વાયરય, મંકી પોક્સ મહામારી વચ્ચે લોકોએ વધારે સાવધાન રહેવાની જરુર છે. અને આ બધી બીમારીઓથી બચવા માટે વધારે સાવધાન રહેવાની જરુર છે.