Gandhinagar: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ફરી આવશે ગુજરાત, જાણો તેમનો સમગ્ર કાર્યક્રમ
આ અગાઉ 27 મેના રોજ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 3 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. આ ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન તેઓ સહકાર સંમેલન તથા સ્પોર્ટ્સ કોમ્પલેક્સના ભૂમિ પૂજન સહિતના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
ગુજરાતમાં વિધાનસભાની આગામી ચૂંટણી (Gujarat Assembly Election 2022) ને પગલે કેન્દ્રીય નેતાઓના ગુજરાતમાં પ્રવાસ વધી ગયા છે તેમાં પણ ભાજપના નેતાઓ સૌથી વધુ ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Union Home Minister Amit Shah) અવારનવાર ગુજરાતના મુલાકાતે આવવા લાગ્યા છે. હજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ પહેલાં જ ગુજરાતના પ્રવાસે (Gujarat Visist) આવ્યા હતા ત્યાં હવે ફરીથી અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 30 જૂને ગુજરાત આવશે અને 1 જૂને રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથના દર્શન કરશે. તેઓ રથયાત્રાના દિવસે પરંપરાગત રીતે મંગળા આરતીમાં હાજર રહેશે. આ ઉપરાંત 1 જુલાઇએ કલોલ સ્થિત સ્વામિનારાયણ યુનિવર્સિટીનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં તેઓ 750 બેડની હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવશે. ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ રથયાત્રામાં આરતી બાદ ગાંધીનગર જિલ્લાના કલોલ જવા રવાના થશે. અમિત શાહ કલોલના સ્વામિનારાયણ વિશ્વ મંગલ ગુરૂકુળ ખાતે 350 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારી હોસ્પિટલનું ભૂમિપૂજન કરશે. આ પ્રેમસ્વરૂપ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે અનેક સુવિધા ઉપલબ્ધ છે. આ હોસ્પિટલમાં 100 બેડનું ICU, સિટી સ્કેન, MRI, રેડિયોથેરાપી, ડાયાલિસીસ, બ્લડ બેંક સહિતની સુવિધા દર્દીઓને મળશે. આ ઉપરાંત નવનિર્માણ પામેલી સ્વામિનારાયણ યુનિવર્સિટી અને ઓફિસનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રેમસ્વરૂપ સ્વામી સુપર મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના ભૂમિપૂજન સમારોહમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ ઉપસ્થિત રહેશે.
આ અગાઉ 27 મેના રોજ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 3 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. આ ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન તેઓ સહકાર સંમેલન તથા સ્પોર્ટ્સ કોમ્પલેક્સના ભૂમિ પૂજન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સાથે જ 29મી મેએ કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજકોટમાં (Rajkot) બનેલા રાજ્યના પ્રથમ આધુનિક ક્રાઈમ બ્રાંચ અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનું ઉદ્ધાટન કરવાના છે. બન્ને પોલીસ સ્ટેશન વિદેશી ટેકનોલોજીથી સજ્જ છે. પોલીસ સ્ટેશનમાં આરોપીના ઈન્વેસ્ટીગેશન માટે ખાસ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરાંત ક્રાઇમ DCP, એસીપી, 2 પીઆઈ સહિતના અધિકારીઓની અલગ અલગ આધુનિક ચેમ્બરો પણ તૈયાર કરવામાં આવી છે.