Gandhinagar : અડાલજ નર્મદા કેનાલ નજીકથી બે મૃતદેહ મળી આવ્યા, પોલીસે ઓળખ માટે તપાસ હાથ ધરી

ગાંધીનગરના (Gandhinagar) અડાલજ નજીક નર્મદા કેનાલની બાજુમાંથી અવાવરું જગ્યા પરથી બે મૃતદેહ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે ફોરેન્સિક પીએમ કરાવતા અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી છે.

Gandhinagar : અડાલજ નર્મદા કેનાલ નજીકથી બે મૃતદેહ મળી આવ્યા, પોલીસે ઓળખ માટે તપાસ હાથ ધરી
Gandhinagar Adalaj Two Dead Body Found Near Narmada Canal
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Jun 03, 2022 | 10:41 PM

ગાંધીનગરના (Gandhinagar) અડાલજ (Adalaj)  વિસ્તારમાં પસાર થતી નર્મદા કેનાલની બાજુના અવાવરું જગ્યા પરથી 2જી જૂનના રોજ બે મૃતદેહ(Dead Body) મળવાની વાત ધ્યાને આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. અવાવરું જગ્યા પરથી મળેલા મૃતદેહ સળગેલી હાલતમાં હતા તેમજ જાનવરોએ મૃતદેહને પિંખી નાખ્યા હતા. પોલીસને શંકા જતા ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું હતું. જેના આધારે સમગ્ર હકીકત સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

હત્યા બાદ મૃતદેહ સળગાવવામાં આવ્યો હતો

પીએમ રિપોર્ટ અને પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે જે મૃતદેહ મળ્યા છે જેમાં એક પુરુષ અને એક સ્ત્રીનો મૃતદેહ છે અને બંને ની ઉમર 25 થી 40 વર્ષ ની વચ્ચેની છે. બંનેની હત્યા કરવામાં આવી છે અને બાદમાં તેને અવાવરું જગ્યા પર લાવી જે સળગાવી દેવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર મળેલા પુરાવાઓ પરથી વધુ તપાસ હાથ ધરી છે. જોકે હત્યા બાદ મૃતદેહ સળગાવવામાં આવ્યો હતો અને ઉપરથી જાનવરો દ્વારા તેને પીંખી નાખવામાં આવ્યો હતો જેથી બંને મૃતદેહની ઓળખ કરવી પોલીસ માટે પણ મુશ્કેલ બની ચૂકી છે.

આસપાસના ગ્રામ્ય વિસ્તાર તેમજ સીસીટીવીના આધારે પણ તપાસ હાથ ધરી

જે રીતે પોલીસને મૃતદેહ પરથી અલગ અલગ વસ્તુઓ મળી આવી છે તેના પરથી પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ ઉપરાંત પોલીસે મૃતદેહ પરથી મળેલી વીતી ની તસ્વીર જાહેર કરીને લોકોને પણ અપીલ કરી છે કે જો ફોટો પરથી કોઈ વાલી વારસ હોય તો તેને પણ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.અવાવરું જગ્યા પરથી બે મૃતદેહ મળ્યા ચકચાર મચી જવા પામી છે. પોલીસે મૃતદેહ અને હત્યાનો ભેદ ઉકેલવા અલગ અલગ ટીમો બનાવી છે તો સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તાર તેમજ સીસીટીવીના આધારે પણ તપાસ હાથ ધરી છે. ત્યારે જોવું એ રહ્યું કે બંને ખરેખર બંને મૃતદેહ કોના છે, શા માટે હત્યા કરવામાં આવી છે, કોણ છે હત્યારો જેવા મુદ્દાઓને લઈને રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

Latest News Updates

ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
Loksabha Election 2024 : મતદાન પહેલા જ સુરત બેઠક ભાજપના ફાળે
Loksabha Election 2024 : મતદાન પહેલા જ સુરત બેઠક ભાજપના ફાળે
રુપાલાનો વિરોધ ડામવા હર્ષ સંધવી મેદાને, ભાવનગરમાં યોજાઈ બેઠક
રુપાલાનો વિરોધ ડામવા હર્ષ સંધવી મેદાને, ભાવનગરમાં યોજાઈ બેઠક
સુરત બેઠક બિનહરીફ જાહેર થશે? 7 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેચ્યાં
સુરત બેઠક બિનહરીફ જાહેર થશે? 7 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેચ્યાં
g clip-path="url(#clip0_868_265)">