GANDHINAGAR : હાઈકોર્ટની ટકોર બાદ CM RUPANI એ રાજ્યમાં નવા નિયમો, પ્રતિબંધો જાહેર કર્યા

GANDHINAGAR : CM RUPANI એ સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્યમાં નવા નિયમો, પ્રતિબંધો જાહેર કર્યા

GANDHINAGAR : હાઈકોર્ટની ટકોર બાદ CM RUPANI એ રાજ્યમાં નવા નિયમો, પ્રતિબંધો જાહેર કર્યા
FILE PHOTO
Follow Us:
| Updated on: Apr 12, 2021 | 9:23 PM

GANDHINAGAR : રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણબે ધ્યાનમાં રાખીને હાઇકોર્ટ સુઓમોટો કરીને સરકારને પરિસ્થિતિમાં સુધાર લાવવા ટકોર કરી હતી. હાઈકોર્ટે આપેલા નિર્દેશો બાદ આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM RUPANI) એ સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્યમાં નવા નિયમો, પ્રતિબંધો જાહેર કર્યા છે.

તમામ મેળાવડો, જાહેર કાર્યક્રમો રદ્દ રાજ્યમાં કોરોનાની વકરતી જતી પરિસ્થિતિમાં સુધારો લાવવા અંગે હાઈકોર્ટે સરકારને જે નિર્દેશો કર્યા હતા તે અંગે CM RUPANI એ સોશિયલ મીડિયાના માધ્યમથી રાજ્યની જનતાને સંબધોન કરતા રાજ્યમાં નવા નિયમો અને પ્રતિબંધો જાહેર કર્યા છે, જે આ મુજબ છે-

1) 14 એપ્રિલ થી અમલમાં આવે તે રીતે લગ્ન સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં 50 થી વધુ વ્યક્તિઓ એકઠા થઇ શકશે નહિ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

2) જે શહેરોમાં રાત્રિ કર્ફ્યુ અમલમાં છે ત્યાં કર્ફ્યુ સમયની અવધી દરમિયાન લગ્ન સમારંભ યોજી શકાશે નહિ.

3)મૃત્યુના કિસ્સામાં અંતિમવિધી / ઉત્તરક્રિયામાં 50 થી વધારે વ્યક્તિ ભેગા થઈ શકશો નહીં.

4) જાહેરમાં રાજકીય, સામાજીક, ધાર્મિક કાર્યક્રમો, સત્કાર સમારંભ, જન્મ દિવસની ઉજવણી કે અન્ય મેળાવડા યોજવા પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધિત રહેશે.

5)એપ્રિલ તથા મે માસ દરમ્યાન આવતા દરેક ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી શકાશે નહીં તથા જાહેરમાં લોકો એકત્ર થઇ શકશે નહીં.

6)તમામ તહેવારો પોતાની આસ્થા અનુસાર ઘરમાં કુટુંબ સાથે ઉજવવાના રહેશે.

7) સરકારી, અર્ધ સરકારી, બોર્ડ , કોર્પોરેશન તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50% સુધી રાખવાની રહેશે અથવા alternate day કર્મચારીઓ ફરજ પર આવે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.

8) આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહીં.

9)રાજયના તમામ ધાર્મિકસ્થાનો 30 એપ્રિલ સુધી જાહેરજનતા માટે બંધ રાખવા અપીલ કરવામાં આવે છે.

10) ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા / વિધી ધાર્મિકસ્થાનોના સંચાલકો / પૂજારીશ્રીઓ દ્વારા મર્યાદિત લોકો સાથે કરવામાં આવે તે સલાહભર્યું છે, શ્રધ્ધાળુઓને પણ ધાર્મિસ્થાનોમાં પ્રત્યક્ષ દર્શન ન કરવા જવાની વિનંતી કરવામાં આવે છે.

11) ગૃહ વિભાગના 6 એપ્રિલના દિવસે કરવામાં આવેલા હુકમથી આપવામાં આવેલ અન્ય સુચનાઓ યથાવત રહે છે.

12) આ દરમિયાન કોવિડ સબંધિત અન્ય માર્ગદર્શક સુચનાઓનું દરેક નાગરિકોએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે

13) આ હુકમનું અસરકારક અમલીકરણ સર્વે પોલીસ કમિશ્નર, જિલ્લા મેજીસ્ટ્રેટ તથા જિલ્લા પોલીસવડા દ્વારા કરવાનું રહેશે.

આ હુકમના ભંગ બદલ The EPIDEMIC DISEASES Act 1897 અન્વયે THE GUJARAT EPIDEMIC DISEASES COVID – 19 REGULATION , 2020-1 1B , INDIAN PENAL CODE કલમ 188 તથા THE DISASTER MANAGAMENT ACT ની જોગવાઇઓ છેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તથા તે હેઠળ સજાને પાત્ર થશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">