CPSEsના ત્રિદિવસીય પ્રદર્શનનો પ્રારંભ પ્રસંગે નિર્મલા સીતારમણનું નિવેદન, ”તક મળતા ગુજરાત સહિત દેશના લોકો બિઝનેસમાં આગળ વધ્યા, ભારતનું અર્થતંત્ર આગળ વધ્યું ”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) માર્ગદર્શનથી દેશમાં ઉજવાઈ રહેલા આઝાદીના અમૃત મહોત્સવ- સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ પ્રદર્શન ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇસીઝ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની (Union Finance Minister Nirmala Sitharaman) પ્રેરક ઉપસ્થિતિમાં “રાષ્ટ્ર નિર્માણમાં કેન્દ્રીય જાહેર સાહસો CPSEના યોગદાન” અંગેના ત્રિદિવસીય પ્રદર્શનનો ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે પ્રારંભ કરાવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) માર્ગદર્શનથી દેશમાં ઉજવાઈ રહેલા આઝાદીના અમૃત મહોત્સવ- સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ પ્રદર્શન ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇસીઝ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે.
આઇકોનિક સપ્તાહની ઉજવણી અંતર્ગત પ્રદર્શન
ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા દેશભરમાં 6 થી 12 જૂન દરમિયાન આઇકોનિક સપ્તાહની ઉજવણી અન્વયે એક પ્રદર્શન યોજવામાં આવ્યુ છે. સાથે આત્મનિર્ભર ભારત માટે CPSEની ભૂમિકા વિષયક પરિષદનો પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો.આ પરિષદમાં મહત્વકાંક્ષી જિલ્લા-એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને CSR વિષયક બાબતો અંગે વર્કશોપ -ડિસ્કશન સિરિઝ યોજાશે. એટલું જ નહીં MSE પાસેથી પ્રાપ્તિ અને CPSEની એન્યુઅલ ઓડીટ પ્રણાલી જેવી બાબતો અંગે વિવિધ CPSEsના CEOs એક કોમન પ્લેટફોર્મના માધ્યમથી વૈચારીક આદાન-પ્રદાન કરવાના છે.
”ગુજરાત સહિત દેશના લોકો બિઝનેસમાં આગળ વધ્યા”
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ત્રિદિવસીય પ્રદર્શનના પ્રારંભ પ્રસંગે સંબોધન કર્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે 1991માં ભારત અને ભારત બહારથી રોકાણ થયું હતુ. જો કે તક મળતા ગુજરાત સહીતના ભારતના લોકો બિઝનેસમાં આગળ વધ્યા છે. જેના કારણે ભારતનું અર્થતંત્ર આગળ વધ્યું છે. તેમણે જણાવ્યુ કે, દેશના હીતમાં જાહેર સાહસો કાર્યરત રહેશે. કોર સેક્ટરમાં જાહેર સાહસો કાર્યરત રહેશે. જાહેર સાહસોમાં ખાનગી રોકાણ પોલિસી બની છે સ્પર્ધામાં વધારો થશે. 2021માં બજેટ ભારત માટે તમામ સેક્ટરને ખુલ્લા મુકાયા, જાહેર સાહસોના કોર સેક્ટર વધુ વિકાસ પર ભાર મુકવામા આવ્યો છે.
મુખ્યપ્રધાને પ્રદર્શન અને પરિષદનો પ્રારંભ કરાવ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રદર્શન અને પરિષદનો પ્રારંભ કરાવતાં, ગાંધીનગરની આ કાર્યક્રમ માટે પસંદગી કરવા બદલ કેન્દ્રીય નાણામંત્રી અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીના દિશાદર્શનમાં ભારતે સંયુક્ત અર્થતંત્ર અપનાવ્યું છે. આ માળખાની વિશેષતા એ છે કે તેમાં પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટર એમ બંનેને મહત્વની ભૂમિકા નિભાવવાની તક મળે છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવની પાંચ થીમ, ફ્રિડમ સ્ટ્રગલ, આઇડિયાઝ @75, રીસોલ્વ @75, એક્શન@75 અને એચિવમેન્ટ@75 તે બધી જ થીમ CPSEs અને PSEs સાથે સુસંગત રીતે જોડાયેલી છે. આવા પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ દેશમાં પ્રાથમિક ક્ષેત્રથી માંડીને સેવા ક્ષેત્રમાં યોગદાન આપી વિકાસની ગતિ, આત્મનિર્ભરતાની દિશા વધુ તેજ બનાવે છે.
મુખ્યમંત્રીએ ગુજરાતમાં આવા PSEsની સંગીન અને મજબૂત ઉપસ્થિતિની ભૂમિકા આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન ગિફ્ટ સિટીની સુવિધાઓનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ગિફ્ટ સિટીમાં વિશાળ જગ્યા, ICT નેટવર્ક, ગ્લોબલ ટ્રેઝરી ઓપરેશન્સ શરૂ કરી શકવાની સુવિધાઓ, બેંક ઓફિસ અને IT ઓપરેશન્સની વ્યાપક સગવડોનો લાભ લેવા CPSEs ગિફ્ટ સિટીમાં મૂડી-રોકાણ, વ્યવસાય કરવા આવે તેવો અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીએ આ પરિષદમાં સહભાગી થઇ રહેલા વિવિધ CPSEsના CEOsને લોહ પુરુષ સરદાર વલ્લભ ભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની અવશ્ય મુલાકાત લેવાનું આમંત્રણ પણ આપ્યું હતું.