Vaccination : ગુજરાતમાં બુધવાર બાદ હવે રવિવારે પણ બંધ રહેશે કોરોના રસીકરણ
ગુજરાત સરકાર વિચારણા કરી રહી છે આગામી સમયમાં તહેવારોના દિવસે પણ કોરોના વેકસિનેશન બંધ રાખશે
ગુજરાતમાં હવે અઠવાડિયામાં બે દિવસ કોરોના વેકસિનેશન (Vaccination) બંધ રહેશે. જેમાં હાલ બુધવારે મમતા દિવસ તથા રવિવારે કોરોના (Corona) વેકસિનેશન ન કરવા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. આ ઉપરાંત સરકાર વિચારણા કરી રહી છે આગામી સમયમાં તહેવારોના દિવસે પણ વેકસીનેશન બંધ રાખશે
રાજ્યમાં હાલ બુધવારે મમતા દિવસ અન્ય રસીકરણ (Vaccination) કાર્યક્રમોને કારણે રસીકરણ કાર્યક્રમ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.રાજ્ય સરકાર દ્વારા બુધવારે મમતા દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે. આ કાર્યક્રમ હેઠળ માતા અને બાળક સુરક્ષિત રહે તે હેતુથી માતુબાળ કાર્યક્રમ પણ અમલમાં મુકવામાં આવ્યો છે. સગર્ભા માતાને ચેપી રોગો સામે રક્ષણ આપવા માટે ધનુરની રસી આપવામાં આવશે. તો મમતા દિવસે બાળકોને 6 ઘાતક રોગથી બચવા માટે ડીપીટી, પોલિયો, બીસીજી અને ઓરીની રસી આપવામાં આવશે.
રાજ્યમાં દરરોજ 2. 50 લાખ લોકોનું રસીકરણ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 12 જુલાઈના રોજ 2,54,759 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ 18-44 ઉંમર વર્ગના 1,26,017 નાગરીકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,81,15,181 ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે.ગુજરાતમાં કોરોનાના નવા કેસ ઘટી રહ્યા છે અને દૈનિક મૃત્યુનો આંકડો શૂન્ય પર આવી ગયો છે, અને સાથે એક્ટીવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં 12 જુલાઈના રોજ રાજ્યના 3 મહાનગરો અને 20 જિલ્લાઓમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી એ સાથે એક્ટીવ કેસ ઘટીને 801 થયા છે.
રાજ્યમાં કોરોનાથી કુલ 10,074 લોકોના મોત
રાજ્યમાં 12 જુલાઈના રોજ કોરોનાના નવા 32 કેસો નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,24,278 થઇ છે. રાજ્યમાં આજે કોરોનાને કારણે એક દર્દીનું મૃત્યુ થતા મૃત્યુઆંક 10,074 થયો છે. આ મૃત્યુ આણંદ જિલ્લામાં થયું છે.રાજ્યમાં 12 જુલાઈના રોજ અમદાવાદ શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે.
રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 9, સુરતમાં 3, રાજકોટમાં 2, વડોદરામાં અને જામનગરમાં 1-1 , ભાવનગર, જુનાગઢ અને ગાંધીનગરમાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ નોંધાયો નથી, અન્ય કેસો રાજ્યના વિવિધ શહેર-જિલ્લાઓમાંથી છે. આમાંથી 20 જિલ્લાઓ એવા કે જ્યાં કરોનાનો એક પણ નવો કેસ નોધાયો નથી.
આ પણ વાંચો :7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર , સરકારે DA માં 28% વધારો કર્યો , જાણો વિગતવાર
આ પણ વાંચો : Aamir Khan ની ટીમે કરી સ્પષ્ટતા, નિવેદનમાં કહ્યું- ‘લાલ સિંહ ચઢ્ઢા’ ના શૂટિંગ દરમિયાન લદ્દાખમાં નથી ફેલાવી ગંદકી