GANDHINAGAR : સ્ક્રેપ પોલિસીના લોન્ચિંગમાં CMનું નિવેદન, રાજ્યમાં 2025 સુધીમાં 2.8 કરોડ વાહનો સ્ક્રેપ થશે
National Automobile Scrappage Policy : આ પોલિસી ઓટોમોટીવ સેક્ટરમાં એક સર્ક્યુલર ઇકોનોમીના રૂપે કામ કરશે અને જુના તેમજ ખરાબ વાહનોની સંખ્યામાં પણ મોટો ઘટાડો કરશે.
GANDHINAGAR : આજે 13 ઓગષ્ટે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત રીતે રોકાણકારોની સમિટ (Investor Summit 2021) નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ નેશનલ ઓટોમોબાઇલ સ્ક્રેપેજ પોલીસી લોન્ચ કરી. આ સંમેલનમાં સૌથી પહેલા કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ નીતિન ગડકરીએ સંબોધન કર્યું હતું અને ત્યારબાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સંબોધન કર્યું હતું.
મુખ્યપ્રધાને કહ્યું કે કેન્દ્ર અને રાજ્યની આ સંયુક્ત પહેલ આત્મનિર્ભર ભારત અભિયાનમાં અતિ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે તેમજ ગ્લોબલ ઓટોમોબાઇલ રીસાયકલીંગ સેક્ટરમાં ભારતની સ્થિતિને નવેસરથી પરિભાષિત કરશે.
CM રૂપાણીએ કહ્યું ગુજરાત ભારતના સૌથી મોટા ઓટોમોબાઇલ હબમાંથી એક છે. ગુજરાતમાં ઘણી મોટી કંપનીઓ જેમકે ટાટા, ફોર્ડ, હોન્ડા, સુઝુકી જેવી તેમજ અન્ય ઘણી મોટી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પણ છે.
મોટા ઓટોમોબાઇલ નિર્માતાઓની સાથે રાજ્યમાં વાહનોની સંખ્યમાં પણ મોટો વધારો થયો છે. આ માટે આ જરૂરી બની ગયું છે કે આપણે જુના વાહનોને સ્ક્રેપ કરવા માટે આગળ આવીએ અને આ માટે સુવિધાઓ પણ વિકસાવીએ.
આ પોલિસી ઓટોમોટીવ સેક્ટરમાં એક સર્ક્યુલર ઇકોનોમીના રૂપે કામ કરશે અને જુના તેમજ ખરાબ વાહનોની સંખ્યામાં પણ મોટો ઘટાડો કરશે.આ સાથે જ તેમણે કહ્યું કે આ સ્ક્રેપ પોલિસી અંતર્ગત રાજ્યમાં 2025 સુધીમાં 2.8 કરોડ વાહનો સ્ક્રેપ કરવામાં આવશે.
આ પણ વાંચો : GANDHINAGAR : કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીનું નિવેદન, સ્ક્રેપીંગ પાર્કથી 50 હજાર રોજગારીનું સર્જન થશે