આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી, રાજ્યમાં 1000 જન્મ સામે 955 દીકરીઓ

દીકરાઓના જન્મ, શિક્ષણ અને સલામતી માટે દિકરીઓ પ્રત્યેની સંકુચિત જાતિગત માનસિકતામાં બદલાવ લાવી એક સ્વસ્થ અને સમાન રાષ્ટ્રની રચનામાં ભાગીદાર બનાવવાની મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી મનીષા વકીલે હાકલ કરી

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી, રાજ્યમાં 1000 જન્મ સામે 955 દીકરીઓ
symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 5:01 PM

મહિલા બાળ કલ્યાણ વિભાગનો સ્વતંત્ર્ય હવાલો ધરાવતા રાજય મંત્રી મનીષાબેન વકીલે જણાવ્યું છે કે, સશકત સમાજના નિર્માણ માટે મહિલા બાળ જાતિદરને પ્રોત્સાહન આપવુ અત્યંત અનિવાર્ય હોઈ, સમાજના સૌ નાગરિકો આ માટે સંકલ્પબધ્ધ બને એ આજના સમયની તાતી જરૂરિયાત છે. તેમણે દીકરાઓના જન્મ, શિક્ષણ અને સલામતી માટે દિકરીઓ પ્રત્યેની સંકુચિત જાતિગત માનસિકતામાં બદલાવ લાવી એક સ્વસ્થ અને સમાન રાષ્ટ્રની રચનામાં ભાગીદાર બનવા પણ આહવાન કર્યુ છે.

આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav) અંતર્ગત રાષ્ટ્રીય બાલિકા દિવસ (National Girls Day) ની ઉજવણી (Celebration)  નિમિત્તે યોજાયેલ રાજયકક્ષાના સમારોહમાં વર્ચ્યુઅલ સહભાગી બનીને દિકરીઓ સાથે સંવાદ કરતા મંત્રીએ જણાવ્યુ હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ ગુજરાતમાં ‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાન શરૂ કરીને દેશને નવો રાહ ચીધ્યો હતો અને આજે દેશભરમાં આ અભિયાન ચાલી રહ્યુ છે જે આપણા માટે ગૌરવરૂપ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) ના માર્ગદર્શન હેઠળ આ અભિયાનને વધુ વેગવાન બનાવીને દીકરીઓના જન્મ માટે જનજાગૃતિ કેળવવા સંનિષ્ઠ પ્રયાસો રાજ્ય સરકાર કરી રહી છે ત્યારે રાજ્યના નાગરિકો પણ સહભાગી બનીને સક્રિય યોગદાન આપે એ જરૂરી છે.

મંત્રીએ ઉમેર્યુ કે,આ અભિયાનનો મુખ્ય હેતુ દિકરી જન્મને પ્રોત્સાહન, દિકરીઓમાં માધ્યમિક શિક્ષણનું પ્રમાણ વધે તે સુનિશ્ચિત કરવાનું તથા દીકરીઓની સુરક્ષા અને સલામતીનો છે. દીકરીઓના જન્મને પ્રોત્સાહન માટે શરૂ કરાયેલ આ અભિયાન અંતર્ગત જન સમુદાયમાં જાગૃતી ફેલાવવા રાજ્ય તથા જિલ્લા/તાલુકા કક્ષાએ  વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે. જેના પરિણામે રાજ્યમાં ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ દર ૧૦૦૦ દીકરાઓએ દીકરીઓની સંખ્યા ૮૯૦ હતી, જે હવે વર્ષ ૨૦૧૯-૨૦માં નેશનલ ફેમીલી હેલ્થ સર્વે NFHS – ૫ મુજબ વધીને ૯૫૫ થયો છે એ આપણા માટે ગૌરવરૂપ છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

મંત્રીએ કહ્યુ કે, કચ્છ જીલ્લા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરીને ગ્રામ્યકક્ષાએ બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે આ બાલિકા પંચાયતએ કિશોરીઓનું એક મંડળ છે,  જેમાં સરપંચથી લઈને ગ્રામ પંચાયતના વોર્ડ મુજબ તમામ સભ્યોમાં બાલિકાઓ પ્રતિનિધિત્વ ધરાવે છે, આ મંડળ દ્વારા ગામમાં શિક્ષણ, આરોગ્ય, પોષણ, રમત-ગમત જેવા વિવિધ મુદ્દાઓ પર કાર્ય કરી દરેક ક્ષેત્રે કિશોરીઓનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરે છે. ગ્રામ પંચાયતની ચૂંટણી મુજબ બાલિકા પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહિલા અને બાળવિકાસ વિભાગના સચિવ –વ- કમિશ્નર કે.કે.નિરાલાએ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણીનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યુ હતું કે, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દિકરી જન્મ તેમજ શિક્ષણને પ્રોત્સાહન આપવા, બાળ લગ્ન નાબૂદ કરવા, દીકરીઓના કાનૂની અધિકારો, પોષણ અને તબીબી સંભાળ, સંરક્ષણ અને સન્માન સુનિશ્ચિત કરવા તેમજ તે પરત્વે જાગૃતિ લાવવા વર્ષ ૨૦૦૮ થી તા.૨૪ મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી કરવામાં આવે છે.

રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલ આ કાર્યક્રમમાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી ૧૦ દિકરીઓ મળી કુલ ૩૬૦ જેટલી દીકરીઓ તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીના અધિકારીશ્રી અને કર્મચારીઓએ વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી બનીને પરિસંવાદ કર્યો હતો. દીકરીઓ અંગેની રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ વિશે ખાસ પ્રશ્નોત્તરી યોજાઈ હતી. જેનુ મંત્રીશ્રી દ્વારા માર્ગદર્શન પુરૂ પાડીને રાજયની દીકરીઓને વધુ પ્રોત્સાહિત કરવા માટે વિવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમો આયોજીત કરવા તેમજ રાજ્યમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી/સિધ્ધિઓને રાજ્ય સ્તરે બિરદાવવા તેમજ રાજ્યના તમામ જિલ્લાઓમા બાલિકા પંચાયત માળખું ઉભુ કરવા જરૂરી સુચનાઓ આપી હતી.

આ પણ વાંચોઃ Surat : હોટેલ ઇન્ડસ્ટ્રીને ઓનલાઇન પાર્સલ સુવિધા ફળી, હોમ ડિલિવરીમા 20 ટકાનો ઉછાળો

આ પણ વાંચોઃ તમારા બોસના નામથી પેમેન્ટ ચૂકણી માટેનો મેસેજ આવે તો સાવધાન, તમારી સાથે ફ્રોડ થઈ શકે છે

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">