ગુજરાતમાં કોરોના કેસમાં મોટો ઘટાડો, આજે નવા 115 કોરોના કેસ, એક પણ મૃત્યુ નહીં
ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં આજે 18 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 115 કેસ નોંધાયા છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1226 થઈ છે.
ગુજરાતમાં (Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં આજે 18 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 115 કેસ નોંધાયા છે. જેમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1,226 થઈ છે. કોરોનાના રિકવરી રેટ 99.04 ટકા થયો છે. જ્યારે આજે કોરોનાથી 127 દર્દીઓ સાજા થયા છે. જ્યારે કોરોનાના નવા નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો સુરતમાં 38, અમદાવાદમાં 33, સાબરકાંઠામાં 5, ગાંધીનગરમાં 4, રાજકોટમાં 4, સુરત જિલ્લામાં 4, વલસાડમાં 4, નવસારીમાં 3, વડોદરામાં 3, આણંદમાં 2, દ્વારકામાં 2, કચ્છમાં 2, મહેસાણામાં 2, ભરુચમાં 1, ભાવનગરમાં 1, ભાવનગર જિલ્લામાં 1, ગાંધીનગરમાં 1, ખેડામાં 1, મોરબીમાં 1, પંચમહાલમાં 1, પોરબંદરમાં 1, રાજકોટમાં 1 કેસ નોંધાયા છે.
જેના કારણે તંત્ર એ આજે રાહતનો શ્વાસ લીધો હતો. કોરોના મહામારીમાંથી ભારતને બહાર લાવવા માટે તંત્રના તમામ અધિકારીઓ અને કર્માચારીઓએ અગત્યનો ભાગ ભજવ્યો છે. આજે ગુજરાતમાં કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયુ નથી. એકટિવ કેસોમાં 1 દર્દી વેન્ટિલેટર પર છે જ્યારે 1225 દર્દીઓની સ્થિતિ હાલ સ્ટેબલ છે.
શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત
કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
નવરાત્રી અને અન્ય તહેવારોમાં સાચવજો
ગણેશ ઉત્સવનો તહેવાર પૂરો થતા હવે નવરાત્રીની તાડામાર તૈયારીઓ શરુ થઈ ગઈ છે. તે બધા વચ્ચે નવરાત્રીના આયોજનમાં ભીડ જમા થઈ શકે છે. જેના કારણે કોરોના સંક્રમણમાં પણ વધારો થઈ શકે છે. તેથી તહેવારો દરમિયાન કોરોના નિયમોનું પાલન કરી, સાવચેત રહેવાની જરુર છે.
નિયમોનું પાલન કરો
કોરોનાથી બચવા કોરોના નિયમોનું પાલન કરવું પણ એટલું જરુરી છે. તેની મદદથી જ ભારત કોરોના મહામારીમાંથી બહાર નીકળવામાં સફર થયું છે. સરકારે લોકોને વેક્સીન લેવા માટે પણ વિંનતી કરી છે. જેથી કોરોનાને ઝડપથી નાબૂદ કરી શકાય. તેના માટે આખા ગુજરાતમાં વેક્સીનેશન સેન્ટર આજદિન સુધી કાર્યરત છે.