Recruitment Scam : કૌભાંડીઓને ઉછેરવાનો યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ, જાણો સરકાર દ્વારા શું પ્રતિક્રિયા મળી

Energy Dept Recruitment Scam : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આજે ગુજરાત સરકાર ના ઊર્જા વિભાગ હેઠળ થતી ભરતી માં કૌભાંડ આચરવામાં આવતું હોય તેવા આક્ષેપ કર્યા હતા.

Recruitment Scam : કૌભાંડીઓને ઉછેરવાનો યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ, જાણો સરકાર દ્વારા શું પ્રતિક્રિયા મળી
allegations of Energy Dept recruitment scam and reaction of Minister Jitu Vaghani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 4:53 PM

યુવરાજસિંહ દ્વારા જાણ કરવામાં આવી હતી કે જેમ હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં સાબરકાંઠા જિલ્લો એપી સેન્ટર હતું તેમ ઊર્જા વિભાગની ભરતીઓમાં એપી સેન્ટર અરવલ્લી છે.

GANDHINAGAR : હેડ ક્લાર્ક પેપર લીક કેસના મુદ્દે હજી તપાસ ચાલી રહી છે. કોંગ્રેસ, આપ અને પરીક્ષાર્થીઓ ગૌણ સેવા પસંદગી મંડળ અને તેના અધ્યક્ષ અસિત વોરા સામે કડક કાર્યવાહીની માગ કરી રહ્યાં છે ત્યારે બીજું એક ભરતી કૌભાંડ સરકારની કાર્યપદ્ધતિ સામે સવાલ કરે તેવું જણાઈ રહ્યું છે.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આજે ગુજરાત સરકાર ના ઊર્જા વિભાગ હેઠળ થતી ભરતી માં કૌભાંડ આચરવામાં આવતું હોય તેવા આક્ષેપ કર્યા હતા. ઊર્જા વિભાગ ની UGVCL, DGVCL અને GETCO ની ભરતીમાં ઓનલાઈન લેવાતી પરીક્ષામાં કૌભાંડ થયા ના આરોપ લાગ્યા.

સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા જણાવવામાં આવ્યું કે ઊર્જા પ્રધાન કનુ દેસાઈ સાથે પરીક્ષામાં કૌભાંડ મુદ્દે ચર્ચા થઈ અને સરકાર દ્વારા પુરાવાને આધારિત તપાસ હાથ ધરવામાં આવશે. કૌભાંડના જવાબદાર કોઈ પણ જ્ઞાતિ, પાર્ટી કે રાજકીય વગ ધરાવતા હોય, તેમના સામે કાર્યવાહીની ખાતરી જીતુભાઈ એ આપી હતી. તેમણે કહ્યું કે NSEIT જેના સામે આરોપ લાગ્યા છે તેના દ્વારા અગાઉ હિન્દુસ્તાન પેટ્રોલિયમ, રેલ્વે પોલીસ જેવી કેન્દ્ર સરકારની ભરતીઓમાં પણ પરીક્ષા લેવામાં આવેલી છે.

કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા

યુવરાજસિંહ દ્વારા જાણ કરવામાં આવી હતી કે જેમ હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં સાબરકાંઠા જિલ્લો એપી સેન્ટર હતું તેમ ઊર્જા વિભાગની ભરતીઓમાં એપી સેન્ટર અરવલ્લી છે. કૌભાંડ ના લાભાર્થીઓ અને વચેટિયાઓ બાયડ, ધનસુરા અને જિલ્લાના અન્ય વિસ્તારોના છે.

યુવરાજે જણાવ્યું હતું કે “પરીક્ષા મહારાષ્ટ્રની NSEIT નામની કંપની દ્વારા લેવામાં આવે છે અને ઇતિહાસમાં પણ આ કંપનીના નામે છબરડાના કિસ્સા બની ચૂક્યા છે. ઓનલાઈન પરીક્ષા કૌભાંડમાં લાભાર્થી એક્ઝામ સેન્ટર પર પેપર લખવાનો ફક્ત ઢોંગ કરે છે, સવાલોના જવાબ એક કન્ટ્રોલ સેન્ટર માંથી લખવામાં આવતા હોય છે.

આ પરીક્ષામાં શિક્ષકો વચેટિયા બની વિદ્યાર્થીઓ સાથે ડીલ કરી રૂપિયા આગળ એજન્ટ ને પહોચાડે. એક પરીક્ષાર્થી પાસેથી ભરતી માટે 21-22 લાખ લેવામાં આવે છે. એડવાન્સ પેટે 2 લાખ જેટલી રકમ વચેટિયા એજન્ટ ને મોકલે છે અને પસંદગી થાય ત્યાં સુધી રૂપિયા ની લેવડ દેવડ ચાલતી રહે છે.

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી એક તરફ જ્યારે દાખલો બેસાડાય તેવી દંડાત્મક કાર્યવાહીની વાત કરે ને બીજી તરફ સરકારી ભરતીઓમાં કૌભાંડ ચાલતા રહે ત્યારે સરકાર ભરતી કૌભાંડો પર અંત લાવી શકશે કે નહીં તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો : ભરતી કૌભાંડના આક્ષેપ પર ભાજપની પ્રતિક્રિયા,”કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી થશે”

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">