AHMEBADAD : મુખ્યમંત્રીએ અમદાવાદ, રાજકોટ અને વડોદરાની સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર અને દર્દીઓ સાથે સંવાદ યોજ્યો

AHMEBADAD : ચેટીચાંદની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રીએ અમદાવાદ,રાજકોટ અને વડોદરાની સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર અને દર્દીઓ સાથે સંવાદ યોજ્યો.

AHMEBADAD : મુખ્યમંત્રીએ અમદાવાદ, રાજકોટ અને વડોદરાની સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર અને દર્દીઓ સાથે સંવાદ યોજ્યો
સીએમનો સંવાદ
Follow Us:
Jignesh Patel
| Edited By: | Updated on: Apr 13, 2021 | 6:35 PM

AHMEBADAD : ચેટીચાંદની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રીએ અમદાવાદ,રાજકોટ અને વડોદરાની સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર અને દર્દીઓ સાથે સંવાદ યોજ્યો.જેમાં મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ખડેપગે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી રહેલા તબીબો, નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફ સાથે સીધો સંવાદ કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી સાથે આ કોન્ફરન્સ મારફતે સંવાદ કરીને સિવિલ હોસ્પિટલની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગેનો ચિતાર મેળવ્યો હતો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

મુખ્યમંત્રી સાથે સંવાદ કર્યા બાદ દર્દીઓમાં નવઉર્જાનો સંચાર થયો

કોરોના ડેઝીગ્નેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમા કોરોના નોડલ તરીકે ફરજ બજાવતા ડૉ.કાર્તિકેય પરમાર કોરોના વોર્ડમાંથી સીઘા આ સંવાદમાં જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીએ ડૉ. કાર્તિકેય પરમારને કોરોના હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સ્વાસ્થ્ય સ્થિતિ અને કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ વિશેની વિસ્તૃત માહિતી મેળવી હતી. ડૉ. કાર્તિકેય પરમારે પણ કોરોના હોસ્પિટલના સમગ્ર વ્યવસ્થાપન અને દર્દીઓની કરવામાં આવી રહેલી સારવાર પધ્ધતિથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને વાકેફ કર્યા હતા. તેઓએ સિવિલ હોસ્પિટલમાં વૈશ્વિક કક્ષાની સુપર સારવાર આપવામાં આવી રહી હોવાનું કહીને સરકાર દ્વારા જરૂરિયાત મુજબની તમામ સવલતો ત્વરીત ઉપલબ્ધ કરાવવા બદલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

તબીબો સાથે વાતચીત કરીને તેમનો ઉત્સાહ વધાર્યો

કોરોનાની ૧૨૦૦ બેડ હોસ્પિટલના આઇ.સી.યુ. વોર્ડમાં સારવાર લઇ રહેલા પૂર્વ પોલિસ જવાન ચંદ્ર બહાદૂર થાપા સાથે પણ મુખ્યમંત્રીશ્રીએ સીધો સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રી શ્રીએ ચંદ્રકાંતભાઇ થાપાના ખબર અંતર પુછીને તેઓને મળી રહેલી સારવાર અંગેના તેમના પ્રતિભાવ તેમના શબ્દોમાં સાંભળ્યા હતા. કોરોનાગ્રસ્ત થયેલા ચંદ્રકાંત થાપાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર મળી રહી હોવાનું જણાવી, અંહીના તબીબો, નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફથી લઇ સફાઇકર્મીઓ ખૂબ જ સેવાભાવી હોવાનું કહ્યું હતું. તેઓએ અહીના સ્ટાફ મિત્રો દ્વારા તેમની રાખવામાં આવી રહેલી દેખરેખ અને તેમની સારવાર પધ્ધતિ વિશે મુખ્યમંત્રી શ્રીને વિસ્તૃત માહિતી આપી સ્મિત સાથે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ વીડિયો કોન્ફરન્સમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી એમ.કે.દાસ, રાજકોટ અને વડોદરાના પદાધિકારીઓ- અધિકારીઓ તેમજ આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે, રાહત કમિશનર શ્રી હર્ષદ પટેલ, અમદાવાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી ઓમ પ્રકાશ, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી સહિત નિષ્ણાંત તબીબો જોડાયા હતા.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">