ગુજરાતમાં ટેકાના ભાવે ખરીદીમાં ગેરરીતિ કરાશે તો પાસા હેઠળ કાર્યવાહી : રાઘવજી પટેલ

ગુજરાતના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કહ્યું છે કે ટેકાના ભાવે થતી ખરીદીમાં ગેરરીતિ કરનારા સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 10:07 PM

ગુજરાતમાં(Gujarat) ટેકાના ભાવે(MSP)મગફળી, ચણા, મગ, અડદ સહિત અનેક જણસોની ખરીદી ચાલી રહી છે. જો આ ટેકાના ભાવે જણસોની ખરીદીમાં કોઈ ગેરરીતિ માલુમ પડશે તો પાસા(PASA)હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ ચીમકી રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે(Raghvji Patel)ઉચ્ચારી છે. રાજ્યમાં ટેકાના ભાવે થતી ખરીદીમાં ગેરરીતિ કરનારા સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કહ્યું કે રવિ પાક માટે ખેડૂતોને પૂરતું ખાતર મળી રહે તેવી યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્ય સરકારે કેન્દ્રીય પ્રધાન અને રાજ્ય સરકારને પૂરતુ ખાતર આપવા રજૂઆત કરી છે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કહ્યું કે ગુજરાતમાં હાલમાં ખાતરની કોઈ જ તંગી નથી. આમ છતાં ખાતરની કોઈ કાળાબજારી ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે.

ગુજરાતમાં હાલ દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ મોટા ભાગના માર્કેટ યાર્ડ પણ શરૂ થયા છે. તેમજ તેની સાથે સાથે સરકારે પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે. જેમાં રજીસ્ટ્રેશન કરવેલા ખેડૂતોને મર્યાદામાં પાક લઇને આવવા માટે એસએમએસ પણ મોકલવામાં આવી રહ્યા છે. જેમાં અનેક જિલ્લામાં ટેકાના ભાવે સરકારે ખરીદી પણ કરી છે. તેમજ આ ખરીદીની પ્રક્રિયા પારદર્શી રહે તે માટે સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે.

આ પણ વાંચો :  ગુજરાતમાં નોનવેજ અને ઈંડાની લારી દૂર કરવા મુદ્દે સીઆર પાટીલે કરી આ સ્પષ્ટતા

આ પણ વાંચો : બનાસકાંઠા : વધુ એકવાર અનાજ કૌભાંડ ઝડપાયું, દિયોદરમાં સરકારી અનાજનો જથ્થો સીઝ કરાયો

Follow Us:
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">