IIT ગાંધીનગરમાં 900 વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને વેક્સિન અપાતા વિવાદ, મોટાભાગે ઉંમર 45થી ઓછી

આઈઆઈટી ગાંધીનગરમાં વિદ્યાર્થી, ફેકલ્ટી સભ્યો અને અન્ય સ્ટાફને કોરોના વેક્સિન અપાતા વિવાદ સર્જાયો છે. ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર 45 વર્ષથી ઓછી ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવી છે.

IIT ગાંધીનગરમાં 900 વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને વેક્સિન અપાતા વિવાદ, મોટાભાગે ઉંમર 45થી ઓછી
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 09, 2021 | 1:55 PM

આઈઆઈટી ગાંધીનગરમાં વિદ્યાર્થી, ફેકલ્ટી સભ્યો અને અન્ય સ્ટાફને કોરોના વેક્સિન આપવામાં આવ્યાની ઘટના સામે આવી છે. આ બાબતે વિવાદ થઇ રહ્યો છે કેમ કે આમાંથી મોટાભાગના 45 વર્ષથી ઓછી ઉંમરના છે. નિયત વય કરતા ઓછી હોવા છતાં પણ 900 વિદ્યાર્થીઓમાંથી ઘણાને કેમ રસી આપવામાં આવી તેણે લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. સમાચાર સંથાઓના અહેવાલ અનુસાર આ સંદર્ભે આઈઆઈટી ગાંધીનગર તરફથી હજી સુધી કોઈ નિવેદન આવ્યું થયું નથી.

વિદ્યાર્થીએ કહ્યું અમને ખબર ન હતી કે અમને વેક્સિન આપવી જોઇએ કે નહીં

ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલો અનુસાર આઈઆઈટી કેમ્પસ પર રસીકરણ કેન્દ્રમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને અન્ય સહિત 900 લોકોને રસી આપવામાં આવી છે. આમાં એવા વિદ્યાર્થીઓ શામેલ છે જે કેમ્પસમાં નથી. જોકે આ સંદર્ભે આઈઆઈટી અને સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી, પરંતુ મીડિયા અહેવાલોને નકારી કાઢવામાં પણ આવ્યા નથી. અહેવાલો અનુસાર 30 માર્ચથી 2 એપ્રિલ સુધી આઇઆઇટીમાં કોરોના રસીકરણ કરવામાં આવ્યું હતું.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

ખાનગી સમાચારના અહેવાલ મુજબ નામ ન લેવાની ઇચ્છા ધરાવતા એક વિદ્યાર્થીએ એ ખાનગી સમાચાર સંસ્થાને જણાવ્યું કે, “હું કોરોના વેક્સિન લેવા માટે પાત્ર છું કે નહીં તે મને ખબર નહોતી. અમને બધાને એક ઇમેઇલ મળ્યો કે તમારે 30 માર્ચથી 2 એપ્રિલ દરમિયાન રસી લેવી પડશે. મને 31 માર્ચે રસી આપવામાં આવી. તે પછી મને થોડો થાક લાગ્યો હતો, પરંતુ હવે બધું ઠીક છે.”

ઉલ્લેખનીય છે કે હાલમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન અપાઈ રહી છે, ત્યારે નાની ઉંમરના વિદ્યાર્થીઓને વેક્સિન અપાતા ગાંધીનગરની આઇઆઇટી કોલેજની ચર્ચા દેશભરમાં થવા લાગી છે. આ મુદ્દે વિવાદ વધવાની આશંકાઓ દર્શાવવામાં આવી રહી છે. કોરોનાના વધતા જતા કેસોને લઈને સરકારે 45થી વધુ ઉંમરના લોકોને પહેલા સુરક્ષિત કરવાનું નક્કી કર્યું હતું પરંતુ આ ઘટનાને જોઇને લોકોમાં પાન ચર્ચાઓ થવા લાગી છે.

આ પણ વાંચો: Corona Vaccine: કોરોના સામેનું યુદ્ધ કેવી રીતે જીતી શકાશે? ભારત પાસે સ્ટોકમાં માત્ર આટલા દિવસની વેક્સિન

આ પણ વાંચો: ચિંતાજનક: RT-PCR રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ પણ કોરોના સંક્રમિત મળી રહ્યા છે દર્દીઓ

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">