75મો સ્વતંત્રતા પર્વ રાષ્ટ્રભક્તિથી તરબતર થવાનો મહોત્સવ : સીએમ રૂપાણી

સીએમ રૂપાણીએ વધુ કહ્યું કે આવનારા દિવસો આપણાં છે આગામી સદી ભારતની છે.તમામ ક્ષેત્રે ભારત શ્રેષ્ઠ બનવા આગળ વધશે. આઝાદીનો અમૃત મહોત્સવ આપણને સંકલ્પ લેવાની પ્રેરણા આપે છે. તેમજ સત્તાએ સેવાનું સાધન છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 5:31 PM

ગુજરાત(Gujarat) ના સીએમ રૂપાણીએ 75માં સ્વતંત્રતા પર્વ(Independence Day) ની ઉજવણીને લઇને પ્રજાજોગ સંદેશ આપ્યો છે. જેમાં તેમણે કહ્યું છે 75મો સ્વતંત્રતા પર્વ રાષ્ટ્રભક્તિથી તરબતર થવાનો મહોત્સવ છે. તેમજ એક ભારત શ્રેષ્ઠ ભારતના ધ્યેયથી આગળ વધવા હાકલ કરી છે. તેમણે કહ્યું કે આઝાદી અપાવનાર સપૂતોના સ્વપ્ન સાકાર કરવાનો અમૃત મહોત્સવ છે. સ્વતંત્રતા પર્વ નિમીત્તે આઝાદીના ઘડવૈયાને વંદન અને પ્રત્યેક દેશવાસીઓને દેશ માટે જીવી જાણવાનું છે.

સીએમ રૂપાણીએ વધુ કહ્યું કે આવનારા દિવસો આપણાં છે આગામી સદી ભારતની છે.તમામ ક્ષેત્રે ભારત શ્રેષ્ઠ બનવા આગળ વધશે. આઝાદીનો અમૃત મહોત્સવ આપણને સંકલ્પ લેવાની પ્રેરણા આપે છે. તેમજ સત્તાએ સેવાનું સાધન છે. અમે હર પળ ગુજરાતના વિકાસ માટે સમર્પિત કરી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે સરકારના પાંચ વર્ષની માત્ર ઉજવણી ન હતી સેવા યજ્ઞ હતો. તંત્રએ કોરોના કાળમાં 8.5 લાખ ગુજરાતીઓને સાજા કરી ઘરે મોકલ્યાં છે. જ્યારે સરકારે ત્રીજી લહેરની વ્યાપક તૈયારીઓ કરી છે. રાજ્યમાં મોટા પ્રમાણમાં કોરોના વેક્સીનેશન થયું છે.

રાજ્યના વિકાસની હરણફાળ અંગે જણાવ્યું કે છેલ્લા 1.5 વર્ષમાં 30,000 કરોડના વિકાસ કાર્યો કાર્યરત છે. દેશમાં FDI ના કુલ રોકાણના 37 ટકા રોકાણ ગુજરાતમાં આવ્યું છે. જ્યારે દેશમાં ગુજરાતનો બેરોજગારી દર સૌથી ઓછો 1.2 ટકા છે. ગુજરાતના ધંધા-રોજગારને કોરોનાની અસર ઓછી થઈ છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે અને ભારતમાં ગુજરાત દ્રષ્ટાંત રૂપ બને તે માટે પ્રયત્ન કરીએ છીએ.

આ પણ વાંચો : PM MODI સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી શકે છે, 14 સપ્ટેમ્બરથી શરૂ થશે 76મું વાર્ષિક સત્ર

આ પણ વાંચો : Surat : વેક્સિન લીધી હોય તો સુરત એરપોર્ટ પર હવે RTPCR રિપોર્ટ બતાવવો ફરજીયાત નહીં

Follow Us:
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">