ગુજરાતમાં કોરોનાના નવા 552 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 4,997 થઈ
ગુજરાતમાં કોરોના (Corona) કેસો હજુ પણ યથાવત છે. જેમાં 11 ઓગસ્ટના રોજ કોરોનાના નવા 552 કેસ નોંધાયા છે . જયારે 2 લોકોના કોરોનાના લીધે મૃત્યુ થયા છે.
ગુજરાતમાં (Gujarat) કોરોના (Corona) કેસો હજુ પણ યથાવત છે. જેમાં 11 ઓગષ્ટના રોજ કોરોનાના નવા 552 કેસ નોંધાયા છે. જ્યારે 2 લોકોના કોરોનાના લીધે મૃત્યુ થયા છે. આ ઉપરાંત રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4,997એ પહોંચ્યા છે. આજે અમદાવાદમાં 183, વડોદરામાં 62, રાજકોટમાં 55, સુરતમાં 32, જામનગરમાં 13, ગાંધીનગરમાં 10, ભાવનગરમાં 07, નવસારીમાં 11, કચ્છમાં 18, સુરત ગ્રામ્યમાં 19, વડોદરા ગ્રામ્યમાં 26 કેસ નોંધાયા છે. રાજ્યના ઘણા જીલ્લામાં 0 કેસ નોંધાયા છે, જ્યારે ઘણા શહેરોમાં 5-6 કેસ નોંધાયા છે. ગુજરાતમાં ઘણા સમયથી કોરોના કેસમાં વધ-ઘટ નોંધાઈ રહી છે. તેવામાં બેદરકારી રાખવામાં આવશે, તો કોરોના કેસ વધી પણ શકે છે. જયારે કોરોના રિકવરી રેટ 98.74 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 874 દર્દીઓ સાજા થયા છે.
તહેવારોના સમયે સાવધાન રહેજો
આ મહિનાથી રાજ્યમાં થોડા થોડા દિવસના અંતરે તહેવારો આવી રહ્યા છે. તે બધા વચ્ચે મેળવડાઓ પણ વધશે અને સંક્રમણ વધવાની શક્યતા પણ છે. તેવામાં લોકોએ એક બીજાથી થોડુ અંતર રાખવુ જોઈએ અને કોરોનાથી બચવા માટેના તમામ પગલા ભરવા જોઈએ. ગયા વર્ષે પણ તહેવારોમાં થતા મેળાવડા અને ચૂંટણીઓમાં થતી ભીડને કારણે કોરોના કેસ વધ્યા હતા. તે ઘટના ફરી ન બને તે માટે સાવચેતી રાખવી જરુરી છે.
કોરોનાના લક્ષણો ધરાવતા દર્દી મુસાફરી ન કરે
જે લોકોને કોરોનાના લક્ષણો હોય તેવા દર્દીઓએ નૈતિક જવાબદારી સમજીને પર્યટન ન કરે અને ઘરે તેવી અપીલ કરાઈ છે. આ ઉપરાંત લોકોને તાત્કાલિક બૂસ્ટર ડોઝ લેવાની પણ અપીલ કરાઈ છે. કોરોના કારણે દેશ અને દુનિયામાં માનસિક, શારીરિક અને આર્થિક રીતે લોકોને ખુબ નુકશાન થયુ છે. જો સાવચેતી નહીં રાખવામાં આવે તો કોરોના ફરી તબાહી મચાવી શકે છે. તેથી યોગ્ય પગલા લઈ, સાવચેતી રાખવી જરુરી છે.
શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત
કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.