GANDHINAGAR : વિધાનસભામાં અમદાવાદ સિવિલમાં દર્દીઓના મોતનો મુદ્દો ગુંજયો, કોંગ્રેસ ધારાસભ્યએ ઉઠાવ્યા સવાલો
GANDHINAGAR : ગુજરાત વિધાનસભા ગૃહમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના થતા મોતનો મુદ્દો ગૂંજ્યો. અમદાવાદ સિવિલમાં પાછલા બે વર્ષમાં 21,920 દર્દીનાં મૃત્યુ થયા છે.
GANDHINAGAR : ગુજરાત વિધાનસભા ગૃહમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના થતા મોતનો મુદ્દો ગૂંજ્યો. અમદાવાદ સિવિલમાં પાછલા બે વર્ષમાં 21,920 દર્દીનાં મૃત્યુ થયા છે. જેમાં કોરોના સંક્રમણના લીધે 970 દર્દીએ જીવ ગુમાવ્યો છે. તો અન્ય બીમારીથી 20950 દર્દીના મોત થયા. કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સિવિલ હોસ્પિટલમાં મોતના ઉંચા આંકડાને લઈ સરકાર પર સવાલ ઉઠાવ્યા. શું કોરોનામાં ખાનગી હોસ્પિટલોને ફાયદો કરાવવા સિવિલમાં મોતનો ઉંચો આંકડો દર્શાવવામાં આવ્યો હોવાનો ખેડાવાલાએ આક્ષેપ કર્યો.