GANDHINAGAR : મહોરમની સરકારી રજા બદલાઈ, જાણો કઈ તારીખે મળશે મહોરમની જાહેર રજા
Muharram 2021 : ગુજરાત સરકાર દ્વારા મહોરમની સરકારી રજા બદલવામાં આવી છે. આ અંગે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સર્ક્યુલર જાહેર કરીને જાહેરાત કરવામાં આવી છે.
GANDHINAGAR : ગુજરાત સરકાર દ્વારા મહોરમની સરકારી રજા બદલવામાં આવી છે. આ અંગે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સર્ક્યુલર જાહેર કરીને જાહેરાત કરવામાં આવી છે.
આ અંગેના પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા તા .28 મી ઓક્ટોબર -2020 ના જાહેરનામાથી કેલેન્ડર વર્ષ ૨૦૨૧ માટે સરકારી કચેરીઓ તથા બેંકો માટે જાહેર રજાઓ જાહેર કરવામાં આવેલ છે.
આ જાહેરનામાના ભાગ -1 રાજય સરકારની કચેરીઓ માટેની રજાઓના ક્રમ -12 આગળ દર્શાવેલ જાહેર રજા તથા ભાગ -3 વટાઉખત અધિનિયમ ( 1881 ) અંતર્ગત બેંકો માટેની રજાઓના ક્રમ -9 આગળ દર્શાવેલ જાહેર રજા :
“મહોરમ ( આશૂરા ) 19 મી ઓગસ્ટ , 2021, 28 શ્રાવણ , 1943, ગુરુવાર ” ના રોજ જાહેર કરવામાં આવેલ હતી . હવે તેના સ્થાને મહોરમ ( આશૂરા ) 20મી ઓગસ્ટ , 2021 , 29 , શ્રાવણ , 1943 , શુક્રવાર ” ના રોજ જાહેર રજા જાહેર કરવામાં આવે છે .
તા .19 / 08/ 2021 ગુરુવારના રોજ તમામ સરકારી કચેરીઓ તથા બેંકોનું કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે. આ હુકમો રાજય સરકાર હસ્તકના બોર્ડ / કોર્પોરેશન તેમજ પંચાયત કચેરીઓના કર્મચારીઓને પણ લાગુ પડશે.