Gandhinagar: 1200 બેડની બનનારી કોવિડ હોસ્પિટલનું સ્થળ બદલાયું, હેલીપેડ ગ્રાઉન્ડને બદલે મહાત્મા મંદિરમાં બનશે હોસ્પિટલ
ગાંધીનગરમાં બનનારી 1200 બેડની કોવિડ હોસ્પિટલનું સ્થળ બદલાયું છે. ગાંધીનગરમાં શરૂ થનારી 1200 બેડની કોવિડ હોસ્પિટલ અંગે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ હોસ્પિટલ હેલીપેડ ગ્રાઉન્ડ પર બનવાની હતી, પરંતુ હવે આ હોસ્પિટલ મહાત્મા મંદિરમાં બનશે.
ગાંધીનગરમાં બનનારી 1200 બેડની કોવિડ હોસ્પિટલનું સ્થળ બદલાયું છે. ગાંધીનગરમાં શરૂ થનારી 1200 બેડની કોવિડ હોસ્પિટલ અંગે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ આ હોસ્પિટલ હેલીપેડ ગ્રાઉન્ડ પર બનવાની હતી, પરંતુ હવે આ હોસ્પિટલ મહાત્મા મંદિરમાં બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
તાજેતરમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા 1200 બેડની હોસ્પિટલ ગાંધીનગરના સેક્ટર 17 ના હેલિપેડ ગ્રાઉન્ડ ઉપર બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે અહીં સગવડ ન હોવાને કારણે આ હોસ્પિટલ મહાત્મા મંદિરમાં ઊભી કરવાનો નિર્ણય લેવાયો છે. ડીઆરડીઓ દ્વારા મહાત્મા મંદિરનું નિરીક્ષણ કરીને કામગીરીનો પ્રારંભ કરાશે. મહાત્મા મંદિરમાં બનનાર કોવિડ હોસ્પિટલોમાં 600 આઈસીયુ બેડ પણ હશે. આગામી દસથી બાર દિવસમાં હોસ્પિટલના નિર્માણનું કાર્ય પૂર્ણ કરવામાં આવશે.
Latest Videos
Latest News