ગાંધીધામમાં તનિષ્ક શો-રૂમમાં તોડફોડના અહેવાલ છે ફેક, ગૃહ રાજયપ્રધાને ટવીટ કરી આપી માહિતી
તનિષ્કની વિવાદાસ્પદ જાહેરાતને પગલે કચ્છના ગાંધીધામમાં આવેલા તનિષ્કના એક શો-રૂમમાં તોડફોડ થઇ છે તેવા અહેવાલોને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ફેક ગણાવ્યા છે. ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ટ્વિટ કરી આ અહેવાલોને ફેક ગણાવતા લખ્યું છે કે, કચ્છના ગાંધીધામમાં આવેલા શો-રૂમ પર હુમલાના સમાચાર એકદમ ફેક છે. આ ગુજરાતના કાયદો-વ્યવસ્થા પર પ્રતિકૂળ અસર પાડવા અને હિંસા ભડકાવવા […]
તનિષ્કની વિવાદાસ્પદ જાહેરાતને પગલે કચ્છના ગાંધીધામમાં આવેલા તનિષ્કના એક શો-રૂમમાં તોડફોડ થઇ છે તેવા અહેવાલોને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ફેક ગણાવ્યા છે. ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ટ્વિટ કરી આ અહેવાલોને ફેક ગણાવતા લખ્યું છે કે, કચ્છના ગાંધીધામમાં આવેલા શો-રૂમ પર હુમલાના સમાચાર એકદમ ફેક છે. આ ગુજરાતના કાયદો-વ્યવસ્થા પર પ્રતિકૂળ અસર પાડવા અને હિંસા ભડકાવવા માટે કરવામાં આવેલા પ્રયાસથી પ્રેરિત છે. વધુમાં લખ્યું છે કે તેમણે ફેક ન્યૂઝ ફેલાવી રહેલા લોકો સામે કેસ નોંધવા અને કડક પગલા લેવા માટે સૂચના આપી દીધી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો