LRD વિવાદ મુદ્દે સરકારના નવા ફોર્મ્યુલાથી બંને પક્ષ નારાજ!…ગાંધીનગરમાં યથાવત્ રાખશે આંદોલન
LRD વિવાદ મુદ્દે સરકારે એક નવો ફોર્મ્યુલા સામે લાવ્યો છે. પરંતુ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની જાહેરાત બાદ બંને પક્ષની પ્રતિક્રિયા સામે આવી છે. બંને પક્ષ આ નવા ફોર્મ્યુલાથી નારાજ છે. તો બીજી તરફ આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે. બિનઅનામત વર્ગના નેતા દિનેશ બાંભણીયાએ નારાજગી દેખાડી છે. તો બીજી તરફ અનામત વર્ગના નેતા […]
LRD વિવાદ મુદ્દે સરકારે એક નવો ફોર્મ્યુલા સામે લાવ્યો છે. પરંતુ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની જાહેરાત બાદ બંને પક્ષની પ્રતિક્રિયા સામે આવી છે. બંને પક્ષ આ નવા ફોર્મ્યુલાથી નારાજ છે. તો બીજી તરફ આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
બિનઅનામત વર્ગના નેતા દિનેશ બાંભણીયાએ નારાજગી દેખાડી છે. તો બીજી તરફ અનામત વર્ગના નેતા પ્રવીણ રામે પણ આંદોલન શરૂ રાખવાની વાત કરી દીધી છે. અનામત વર્ગની માગણી છે કે, સરકાર GRને રદ કરવો પડશે. તો બીજી તરફ બિનઅનામત વર્ગનું કહેવું છે કે, સરકારનો ફોર્મ્યુલા પરિપત્ર રદ કર્યા બરાબરનો છે. જ્યારે તેમની માગણી પરિપત્રને યથાવત્ રાખવાની છે.
આ પણ વાંચોઃ LRD ભરતીમાં 1-8-2018નો પરિપત્ર લાગુ થશે નહીં…62.5 માર્કસ ધરાવતી તમામ મહિલાઓને મળશે નોકરી
સરકારે એક નવો નિર્ણય કર્યો છે. જેમાં 62.5 માર્કસ ધરાવતા તમામ મહિલા ઉમેદવારની ભરતી કરશે. જેની સાથે સરકારે કહ્યું કે, અમે જાહેર કરેલો GR આ ભરતીમાં ધ્યાનમાં લેવાયો નથી. તેનું કોઈ અમલીકરણ ગણવામાં આવશે નહીં. સાથે સરકારે કેટેગરી પ્રમાણે ભરતીના આંકડા પણ જાહેર કરી દીધા છે. જેમાં SC-ST-OBC અને જનરલ કેટેગરીમાં કેટલી ભરતી કરશે તેની જાહેરાત પણ કરી છે. 5227 જેટલી જગ્યા પર સરકાર ભરતી કરશે. બક્ષીપંચની 3248 બેઠક પર ભરતી કરશે. ST સમાજની 511 ઉમેદવારની ભરતી થશે. જનરલ કેટેગરીમાં 883 ઉમેદવારની બેઠક ભરાશે.
LRD ભરતીમાં સરકારના પરિપત્ર બાદ બે પક્ષો દ્વારા આંદોલન ચાલી રહ્યા છે. જેને લઈ સરકારમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે આજે મુખ્યપ્રધાનના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, સચિવ વિકાસ સહાય સહિત ગૃહ વિભાગ અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. તો મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા. બેઠક બાદ નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી હતી.