Mehsanaમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ આંદોલનના માર્ગે, આશા વર્કરોની કલેક્ટરને રજૂઆત
Mehsanaમાં આશાવર્કર અને તેમના પડતર પ્રશ્નો અંગે કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.
Mehsanaમાં આશાવર્કર અને તેમના પડતર પ્રશ્નો અંગે કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. આશાવર્કર અને તેમની કામગીરીને સન્માનિત કરવાની જગ્યાએ શોષણ થતું હોવાનો આક્ષેપ લગાવામાં આવ્યા છે.
આશાવર્કરોએ અઠવાડિયામાં ચાર કે પાંચ દિવસના બદલે સાતેય દિવસ કામ કર્યું છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે તેમને કોરોના કાળમાં 24×7 ફરજ નિભાવી છે તેમના દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે જોખમી કામગીરીમાં પણ આશાવર્કરને રોજના માત્ર 33 રૂપિયા અપવામાં આવતા હતા.
આશાવર્કરોને ફિક્સ પગાર આપવો જોઇએ તેવી માંગ કરવામાં આવી હતી, તેમના દ્વારા બીજી માંગ કરવામાં આવી હતી કે રૂ.180 પ્રતિ દિવસ આપવા જોઇએ. તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ઉંમર ભેદ રાખ્યા વગર પેંશન યોજનાનો લાભ પણ આપવો જોઇએ. તેઓએ કોરોના કાળમાં કામ કર્યું છે તેથી તેમને આના માટે પ્રોત્સાહક રકમ આપવી જોઇએ, કે જેથી તેમને પ્રોત્સાહન મળે. સરકાર દ્વારા ઓળખપત્રો આપવા પણ માગ કરાઈ હતી. કોરોના વોરિયર્સની આ રજુઆત માનવામાં આવશે તેવી આશાવર્કરોએ આશા રાખી છે.