આ શિક્ષકોને સો સલામ, વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે તે માટેના પ્રયત્નો જાણીને તમને પણ થશે ગર્વ

કોરોનાની મહામારીના લીધે હાલ આશ્રમશાળાઓ બંધ છે તેવામાં આ શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને 100 થી 150 કિલોમીટર દૂર તેમના ઘરે જઈને પુસ્તકો પહોંચાડવાનું કામ કરી રહ્યા છે.

આ શિક્ષકોને સો સલામ, વિદ્યાર્થીઓનું શિક્ષણ ના બગડે તે માટેના પ્રયત્નો જાણીને તમને પણ થશે ગર્વ
આ શિક્ષકોને સો સલામ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 03, 2021 | 4:33 PM

શિક્ષક ક્યારેય સાધારણ હોતો નથી. બાળકના ભવિષ્યને સુધારવાનું કામ એક શિક્ષક જ કરી શકે છે. ચાણક્યએ કહેલી વાત કે પ્રલય અને નિર્માણ શિક્ષકના હાથમાં જ રહ્યું છે. એ અત્યારના સમયમાં પણ સાચી ઠરે છે. ખાસ કરીને બાળકના ભવિષ્યનું નિર્માણ કરવામાં શિક્ષકોની ભૂમિકા મહત્વની રહી છે. સુરતના તાપી જિલ્લામાં પણ શિક્ષકોએ આ ઉક્તિ સાર્થક કરી બતાવી છે. વિદ્યાર્થીઓના ભવિષ્યના નિર્માણની વ્યાખ્યામાં તેઓ વિદ્યાર્થીઓને ઘરે ઘરે જઈને પુસ્તકો પહોંચાડે છે. અને ખરા અર્થમાં શિક્ષકનો ધર્મ નિભાવી રહ્યા છે.

કોરોનાની મહામારીના લીધે હાલ આશ્રમશાળાઓ બંધ છે તેવામાં આ શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને 100 થી 150 કિલોમીટર દૂર તેમના ઘરે જઈને પુસ્તકો પહોંચાડવાનું કામ કરી રહ્યા છે.

સુરતનો તાપી જિલ્લો સૌથી વધારે આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. આ જિલ્લામાં 57 જેટલી આશ્રમશાળાઓ આવી છે. આ આશ્રમશાળામાં સુરતના તાપી જિલ્લા ઉપરાંત મહારાષ્ટ્રની સરહદે આવેલા ગામડાઓ, ડાંગ અને સેલવાસ સહિતના ગામડાઓના અંદાજે 10 હજાર જેટલા બાળકો અભ્યાસ કરી રહયા છે. કોરોનાના કારણે હાલ આ બાળકો શાળામાં નથી જઈ શકતા પરંતુ આ બાળકોનું શિક્ષણ ન બગડે અને તેમને સમયસર શિક્ષણ મળી રહે તે માટે શાળાના શિક્ષકો સતત ચિંતિત અને પ્રયત્નશીલ છે.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

તાપી જિલ્લાના આશ્રમશાળા આદિજાતિ વિકાસ અધિકારી એચ.એલ.ગામીતના જણાવ્યા પ્રમાણે હાલમાં કોરોના મહામારીના કારણે બાળકો શાળાએ આવી નથી શકતા પરંતુ નવું શૈક્ષણિક સત્ર શરૂ ગયું છે. ત્યારે આ બાળકોને પુસ્તકો તેમના ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. તેમાંથી ઘણાં બાળકો તો એવા પણ છે કે જે સેલવાસ, દુધની, કપરાડા, ડાંગ નિઝર-ઉચ્છલ અને મહારાષ્ટ્રના બોર્ડરના ગામોમાંથી અભ્યાસ કરવા માટે આવે છે. આ બાળકોને હાલ તેઓના આશ્રમ શાળાના શિક્ષકો ઘરે જઈને પુસ્તકો પહોંચાડી રહ્યા છે. ભલે વિદ્યાર્થી ગમે તેટલો દૂર રહેતો હોય પરંતુ તેમના શિક્ષકો આ બાળકોને સમયસર પુસ્તકો મળી રહે તેનું ધ્યાન રાખે છે.

સમગ્ર આશ્રમશાળામાં અંદાજે દસ હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે આ બાળકોને ભણાવવા માટે પણ શિક્ષકો તેમના ઘર સુધી જઇ રહ્યા છે.

મગરકુઈ આશ્રમશાળાના ટીચર જયસિંહ પરમાર જણાવે છે કે તેઓ વિદ્યાર્થીઓના ઘર સુધી તેઓને ભણાવવા માટે અને પુસ્તકો આપવા માટે જાય છે. ઘણી વાર તેમને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હોય છે. 150 કિલોમીટર દૂર જઈને પણ ઘણીવાર વિદ્યાર્થી કે તેના માતાપિતા ઘરે મળતા નથી હોતા. કારણકે તેઓ મજૂરીકામ માટે નાસિક કે મહારાષ્ટ્રના નાના ગામોમાં જતા હોય છે.આવા કિસ્સામાંમાં તેઓએ 3 થી 4 વાર બાળકોના ઘરે જવું પડતું હોય છે. ઘણા શિક્ષકો બસ અને કેટલાક તો પોતાના વાહનો થકી પુસ્તકો આપવા જાય છે. તેઓની એકમ કસોટી લેવા પણ તેઓ વિદ્યાર્થીઓના ઘર સુધી જાય છે.

આ પણ વાંચો: Surat : મુખ્યમંત્રી વિજય રૂપાણીને 1 હજાર કરોડથી વધુ પ્રોજેકટના લોકાર્પણ માટે આમંત્રણ

આ પણ વાંચો: ખુશખબર : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પ્રવેશ કાર્યવાહી માટે સૌથી ઓછી ફી લેવાનો કર્યો નિર્ણય

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">