54 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત સુરત મનપાની સામાન્ય સભા સંજીવકુમાર ઓડિટોરિયમમાં મળશે
કોરોનાને કારણે લોકોની જીવનશૈલી બદલાઈ ગઈ છે. ત્યાંજ 1966માં સુરત મહાનગરપાલિકાની સ્થાપના કરવામાં આવી ત્યારથી લઈને અત્યારસુધી 54 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર સુરત મનપાની સામાન્ય સભા મુખ્ય કચેરીમાં જ થતી હતી. પણ આ પહેલીવાર છે જ્યારે મનપાની સામાન્ય સભા મુખ્ય કચેરી બહાર સ્વ.સંજીવકુમાર ઓડિટોરિયમમાં થવા જઈ રહી છે. Web Stories View more IPL 2024 : આંખોમાં […]
કોરોનાને કારણે લોકોની જીવનશૈલી બદલાઈ ગઈ છે. ત્યાંજ 1966માં સુરત મહાનગરપાલિકાની સ્થાપના કરવામાં આવી ત્યારથી લઈને અત્યારસુધી 54 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર સુરત મનપાની સામાન્ય સભા મુખ્ય કચેરીમાં જ થતી હતી. પણ આ પહેલીવાર છે જ્યારે મનપાની સામાન્ય સભા મુખ્ય કચેરી બહાર સ્વ.સંજીવકુમાર ઓડિટોરિયમમાં થવા જઈ રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સુરત મનપાની સ્થાપના 1966માં કરવામાં આવી હતી. ત્યારથી મુગલીસરાઈ મનપાની મુખ્ય કચેરી છે. ત્યારથી અહીં જ સામાન્ય સભાનું આયોજન થતું આવ્યું છે. અત્યારસુધી પ્લેગ, પુર, કોમી રમખાણો જેવી કુદરતી અને માનવસર્જિત સમસ્યાઓમાં અહીં જ સામાન્ય સભા મળતી આવી છે.
પણ આ વખતે કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટનસિંગ જરૂરી હોવાના લીધે મનપાની સામાન્ય સભા 700 બેઠક વાળા પાલ ખાતે આવેલા સંજીવકુમાર ઓડિટોરિયમમાં રાખવામાં આવી છે. સામાન્ય સભા જ્યાં પણ મળે તે મનપાનું હેડ ક્વાર્ટર કહેવાય છે, એટલે તે સ્થળે ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવો જરૂરી છે અને સુરત મનપાની સામાન્ય સભા થાય ત્યાં સુધી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે.
3જી ઓક્ટોબરે સામાન્ય સભા સંજીવકુમાર ઓડિટોરિયમમાં મળવાની છે. ત્યાં મનપા કમિશનર અને પાંચ અધિકારી ધ્વજ ફરકાવશે. અને તે પછી સામાન્ય સભા શરૂ થશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો