ડેમના દરવાજા સમયસર ના ખોલાતા 3 જિલ્લાના ખેતરો ધોવાયા, અનેક ખેતરો નદીના પટમાં ફેરવાયા

વરસાદે વિરામ લેતા અને વરસાદી પાણી ઓસરતા ખેતી ક્ષેત્રે થયેલા નુકસાનનુ બિહામણુ ચિત્ર સામે આવ્યું છે. પડધરી, ટંકારા, કાલાવાડ, ધોરાજી ઉપલેટા પથકના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે, અનેક ખેતરો નદીના પટમાં ફેરવાયા છે. કોંગ્રેસના ધારાસભ્યોએ આજે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોના ખેતર ધોવાયા તેના માટે કુદરત નહી સિચાઈ વિંભાગના અધિકારીઓ […]

ડેમના દરવાજા સમયસર ના ખોલાતા 3 જિલ્લાના ખેતરો ધોવાયા, અનેક ખેતરો નદીના પટમાં ફેરવાયા
Follow Us:
| Updated on: Jul 10, 2020 | 8:34 AM

વરસાદે વિરામ લેતા અને વરસાદી પાણી ઓસરતા ખેતી ક્ષેત્રે થયેલા નુકસાનનુ બિહામણુ ચિત્ર સામે આવ્યું છે. પડધરી, ટંકારા, કાલાવાડ, ધોરાજી ઉપલેટા પથકના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે, અનેક ખેતરો નદીના પટમાં ફેરવાયા છે. કોંગ્રેસના ધારાસભ્યોએ આજે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોના ખેતર ધોવાયા તેના માટે કુદરત નહી સિચાઈ વિંભાગના અધિકારીઓ જવાબદાર છે. માનવસર્જીત આફતને કારણે દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લાના વિસ્તારોના ખેતરો ધોવાયા છે.

માનવસર્જીત હોનારત ધારાસભ્ય વિક્રમ માડમ, લલિત કગથરા, લલિત વસોયા અને પ્રવિણ મુછડીયાએ વિવિધ ગામના ખેતરોની મુલાકાત લીધા બાદ ધારાસભ્યોએ કહ્યું કે ઊંડ-1ના દરાવાજા ખોલ્યા ત્યાર બાદ ચાર કલાકે ઊડ-2ના દરવાજા ખોલાયા હતા. ઊડ-2માંથી છોડાયેલા વધુ પડતા પાણીને કારણે, અનેક ખેતરો ધોવાઈ જવા પામ્યા છે. અને ખેતરો દરિયાઈ બેટમાં ફેરવાઈ ગયા છે. માનવ સર્જીત આફતને કારણે ખેડતોને ખરીફ મોસમમાં રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

ઊંડ-2ના દરવાજા કેમ સમયસર ના ખોલાયા ? ઊંડ-2ના પાણી જ્યા જ્યા ફરી વળ્યા છે એ તમામ ખેડૂતોની સમગ્ર ખરીફ સિઝન આ વર્ષે નિષ્ફળ જશે. અધિકારીઓની ભૂલ કે બેદરકારી નહી ગુન્હાહીત બેદરકારી દાખવી છે. ઊંડ-1નું પાણી ઊંડ-2માં આવે છે. જ્યારે ઊંડ-1ના 17 દરવાજા ખોલાયા ત્યારે જ ઊંડ-2ના દરવાજા ખોલવા કહ્યું હતું, પણ એક પણ દરવાજો ખોલાયો નહોતો. અને પાછળથી ઊંડ-2 ઓવરફ્લો થતા એક સાથે 54 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેના કારણે ખેડૂતોની 5-6 વીધા જમીન ધોવાઈ ગઈ છે.

ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

સર્વે કરીને ખેડૂતોને સત્વરે વળતર ચૂકવવા માંગ સરકારે તાકીદે સર્વે કરીને નુકસાન થયુ હોય તેવા ખેડૂતો સત્વરે રાહત ચુકવવી જોઈએ અને ગુન્હાહીત બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલા ભરવા જોઈએ. સરકારમાં તો રજૂઆત કરીએ છીએ પણ કોઈ નિકાલ નથી આવતો આથી તમામ ધારાસભ્યો વિધાનસભામાં આ પ્રશ્ને સરકાર ઉપર પસ્તાળ પાડીશુ.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">