નવા કૃષિ કાયદા સામે ખેડૂતોનો આક્રોશ યથાવત, પાંચ દિવસથી દિલ્લી સરહદે ખેડૂતોનો અડીંગો, મંત્રણા કરવા સરકાર તૈયાર
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાથી આક્રોશીત થયેલા પંજાબ અને હરિયાણાના ખેડૂતો આક્રોશીત થઈને, દિલ્લી કુચ કરી છે. પંજાબ-હરિયાણાની દિલ્લી સાથે જોડતી સરહદ ઉપર ખેડૂતો છેલ્લા પાંચ દિવસથી અડીગો જમાવીને બેઠા છે. પોતાની માંગણીઓના સંદર્ભેમાં ખેડૂતોએ દિલ્લી જામ કરવાનીી ચેતવણી ઉચ્ચારી છે. આંદોલનકારી ખેડૂતોના મૂડને પારખી ગયેલી સરકારે ખેડૂત આગેવાનો સાથે ચર્ચા વિચારણા શરૂ કરી છે. જો […]
કેન્દ્ર સરકારના કૃષિ કાયદાથી આક્રોશીત થયેલા પંજાબ અને હરિયાણાના ખેડૂતો આક્રોશીત થઈને, દિલ્લી કુચ કરી છે. પંજાબ-હરિયાણાની દિલ્લી સાથે જોડતી સરહદ ઉપર ખેડૂતો છેલ્લા પાંચ દિવસથી અડીગો જમાવીને બેઠા છે. પોતાની માંગણીઓના સંદર્ભેમાં ખેડૂતોએ દિલ્લી જામ કરવાનીી ચેતવણી ઉચ્ચારી છે. આંદોલનકારી ખેડૂતોના મૂડને પારખી ગયેલી સરકારે ખેડૂત આગેવાનો સાથે ચર્ચા વિચારણા શરૂ કરી છે. જો કે ખેડૂતો ટસના મસ થતા નથી.
ખેડત આંદોલનનો મૂડ પારખી ગયેલી સરકારે ગઈકાલે મોડી રાત્રે બેઠકોનો દોર ચલાવ્યો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખ જે પી નડ્ડાના નિવાસસ્થાને, ગૃહપ્રધાન અમિત શાહ, રક્ષાપ્રધાન રાજનાથસિંહ, નરેન્દ્રસિંહ તોમર પણ હાજર રહ્યા હતા. બે કલાક સુધી ચાલેલી બેઠકમાં આંદોલનકારી ખેડૂતોના આગેવાનોને મંત્રણા માટે મેજ ઉપર બોલાવવાનું નક્કી કરાયુ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો