રાજકોટમાં વકરી રહેલા રોગચાળાને એક તરફ મૂકી નેતાઓ દારૂ મુદ્દે આવ્યા આમને-સામને
રાજકોટમાં વકરી રહેલા રોગચાળાની સાથે રાજકારણ પણ ગરમાયું છે. રોગચાળાને સાથે મળીને નાથવાને બદલે રાજનેતાઓ હવે દારૂ મુદ્દે આમને સામને આવી ગયા છે. રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન ઉદય કાનગડે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, વિપક્ષના નેતા વશરામ સાગઠિયાની દારૂની પરમીટની ભલામણ નકારાતા કોંગ્રેસ રોગચાળાના મુદ્દે વિરોધ કરી રહી છે. […]
રાજકોટમાં વકરી રહેલા રોગચાળાની સાથે રાજકારણ પણ ગરમાયું છે. રોગચાળાને સાથે મળીને નાથવાને બદલે રાજનેતાઓ હવે દારૂ મુદ્દે આમને સામને આવી ગયા છે. રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન ઉદય કાનગડે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, વિપક્ષના નેતા વશરામ સાગઠિયાની દારૂની પરમીટની ભલામણ નકારાતા કોંગ્રેસ રોગચાળાના મુદ્દે વિરોધ કરી રહી છે.
આ પણ વાંચોઃ અમદાવાદના પોલીસ કમિશનર એ.કે સિંઘની NSGના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્યારે પોતાના પર લાગેલા આરોપો બાદ વસરામ સાગઠિયાએ વળતો પ્રહાર કર્યો. અને ખુલાસો કર્યો કે તેઓને તો એક સપ્તાહ અગાઉ જ પરમીટ મળી ચૂકી છે. તેમ છતાં જો ઉદય કાનગડ આરોપ સાબીત કરી દે તો, રાજકારણમાંથી સંન્યાસ લેવાની તૈયારી દર્શાવી વશરામ સાગઠિયાએ દર્શાવી. સાથે જ તેમણે ઉદય કાનગડના આરોપો પર કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.