LRD ભરતી વિવાદનો અંતઃ બિન-અનામત વર્ગ દ્વારા આંદોલન પૂર્ણ કરવાની જાહેરાત, જો સરકાર ફેરફાર કરશે તો…
બિન-અનામત વર્ગના આગેવાનોની સરકારના મધ્યસ્થી સાથે બેઠક પૂર્ણ થઈ ચૂકી છે. સરકારના મધ્યસ્થી વરુણ પટેલ અને યજ્ઞેશ દવે આ બેઠકમાં હાજર રહ્યા હતા. જે બાદ યજ્ઞેશ દવેએ કહ્યું કે, બિન-અનામત વર્ગના તમામ પ્રશ્નોનો ઉકેલ આવી ગયો છે. અને અમારા તરફથી બિન-અનામત વર્ગના આગેવાનોને સમજાવવાના પ્રયત્નો પણ સફળ રહ્યા છે. આંદોલન સમાપ્ત તો બીજી તરફ […]
બિન-અનામત વર્ગના આગેવાનોની સરકારના મધ્યસ્થી સાથે બેઠક પૂર્ણ થઈ ચૂકી છે. સરકારના મધ્યસ્થી વરુણ પટેલ અને યજ્ઞેશ દવે આ બેઠકમાં હાજર રહ્યા હતા. જે બાદ યજ્ઞેશ દવેએ કહ્યું કે, બિન-અનામત વર્ગના તમામ પ્રશ્નોનો ઉકેલ આવી ગયો છે. અને અમારા તરફથી બિન-અનામત વર્ગના આગેવાનોને સમજાવવાના પ્રયત્નો પણ સફળ રહ્યા છે.
આંદોલન સમાપ્ત
તો બીજી તરફ બિનઅનામત વર્ગ દ્વારા પણ આંદોલન પૂર્ણ કરવાની જાહેરતા દિનેશ બાંભણીયા દ્વારા કરવામાં આવી છે. સાથે કહ્યું કે, જો સરકાર કોઈ ફેરફાર કરશે તો અમે ફરીથી આંદોલન તરફ આગળ વધશું. સાથે ગઈકાલે સરકારે જાહેર કરેલા ફોર્મ્યૂલા અંગે પણ દિનેશ બાંભણીયાએ સમર્થન જાહેર કર્યું છે.
આ પણ વાંચોઃ LRD ભરતીમાં મહિલા ઉમેદવારોની બેઠક વધારવાના નિર્ણય બાદ ભાજપના નેતા અલ્પેશ ઠાકોરનું નિવેદન
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો