રાજયમાં ઉત્તરાયણ પર્વ પર કોરોનાનું ગ્રહણ ? સરકાર ટુંક સમયમાં જાહેર કરશે SOP
ઉત્તરાયણ પર્વની ઉજવણી અંગે સરકાર SOP જાહેર કરી શકે છે. ઉજવણીમાં પોલીસની નજર રહેશે અને નિયમ વિરુદ્ધ લોકો એકઠાં થશે તો પોલીસ કાર્યવાહી કરી શકે છે. ઉજવણીની લ્હાયમાં કોરોના સંક્રમણ ફેલાવવાની ભીતિ સેવાઇ રહી છે. રાજ્યની 4 મનપા વિસ્તારમાં પતંગ ખરીદી બજારો માટેના નિયમો જાહેર થઇ શકે છે. આ ઉપરાંત રાજ્યમાં પતંગોત્સવ પણ નહીં યોજાવાની […]
ઉત્તરાયણ પર્વની ઉજવણી અંગે સરકાર SOP જાહેર કરી શકે છે. ઉજવણીમાં પોલીસની નજર રહેશે અને નિયમ વિરુદ્ધ લોકો એકઠાં થશે તો પોલીસ કાર્યવાહી કરી શકે છે. ઉજવણીની લ્હાયમાં કોરોના સંક્રમણ ફેલાવવાની ભીતિ સેવાઇ રહી છે. રાજ્યની 4 મનપા વિસ્તારમાં પતંગ ખરીદી બજારો માટેના નિયમો જાહેર થઇ શકે છે. આ ઉપરાંત રાજ્યમાં પતંગોત્સવ પણ નહીં યોજાવાની શક્યતા છે.