Dwarka મંદિરની આસપાસથી દબાણો દૂર કરવા ધનરાજ નથવાણીની સરકારને રજૂઆત
ધનરાજ નથવાણીએ ટ્વિટ કરીને લખ્યું છે કે ગુજરાત સરકાર અને ગુજરાત ટૂરિઝમ વિભાગ આવી જ કાર્યવાહી દ્વારકાધીશ મંદિર નજીકના દબાણોને દૂર કરવામાં દેખાડશે.
દ્વારકા(Dwarka) દેવસ્થાન સમિતિના વાઇસ ચેરમેન ધનરાજ્ નથવાણી(Dhanraj Nathwani) એ એક ટ્વિટ કરીને રાજ્ય સરકાર અને ટૂરિઝમ વિભાગને દ્વારકાધીશ(Dwarkadeesh) મંદિરની આસપાસ થયેલા દબાણો(Encroachment) ને દૂર કરવા માટે રજૂઆત કરી છે. ધનરાજ નથવાણીએ ટ્વિટ કરીને એક અખબારના એક કટિંગને શેર કર્યું છે. જેમાં બેટ દ્વારકામાં સરકારી જમીન પરથી તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની બાબત જણાવવામાં આવી છે. તેમજ લખ્યું છે કે ગુજરાત સરકાર અને ગુજરાત ટૂરિઝમ વિભાગ આવી જ કાર્યવાહી દ્વારકાધીશ મંદિર નજીકના દબાણોને દૂર કરવામાં દેખાડશે.
તેમણે આ ટ્વિટમાં દ્વારકાના કલેકટર, સાંસદ પૂનમબેન માડમ, સાંસદ પરિમલ નથવાણી, ગુજરાત સરકારના મંત્રી કૌશિક પટેલ, સીએમઓ ગુજરાત, સીએમ વિજય રૂપાણી અને ગુહ મંત્રી અમિત શાહ અને પીએમઓને પણ ટેગ કર્યા છે.
300 મીટરની ત્રિજયામાં બાંધકામ ઉપર પ્રતિબંધ
દ્વારકા મંદિરની આસપાસ 300 મીટરની ત્રિજ્યામાં બાંધકામ કરવા પર પ્રતિબંધ હોવા છતાં અનધિકૃત બાંધકામો બેરોકટોકપણે ચાલી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. આ અંગે નગરપાલિકા વિસ્તારમાં થતાં ગેરકાયદે બાંધકામ રોકવાની જવાબદારી જે તે ચીફ ઓફિસરની હોય છે. જો કે આ અંગેની કામગીરી કેમ થતી નથી તે અંગે હજુ કોઇ સ્પષ્ટતા થઈ નથી.
With this spirit of GoG, @GujaratTourism, I’m sure we will see some action on illegal encroachment near #dwarkadeesh temple. @pabubhavmanek @COLLECTORDWK @PoonambenMaadam @mpparimal @kaushikpatelbjp @PradipsinhGuj @CMOGuj @vijayrupanibjp @AmitShah @PMOIndia pic.twitter.com/TsCP8Bxqyh
— Dhanraj Nathwani (@DhanrajNathwani) July 10, 2021
ઉલ્લેખનીય છે કે, લગભગ 2 મહિના બાદ દ્વારકાધીશ જગત મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલ્યા છે. જેમાં કોવિડ ગાઈડલાઈન મુજબ મોટી સંખ્યામાં ભક્તોએ શ્રીજીની ઝાંખી કરી હતી. તેમજ વહીવટીતંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા ભાવિકોને વિનંતી કરી છે કે કોવિડ નિયમોનું પાલન કરે તથા ઓનલાઈન દર્શન માટે મંદિરની વેબસાઈટ http://dwarkadhish.org નો ઉપયોગ કરે.
આ ઉપરાંત મંદિરમાં દર્શન માટે આવતા લોકોએ ફરજિયાત માસ્ક પહેરવાની સૂચના પણ આપવામાં આવી છે. જ્યારે રવિવારે ભગવાન દ્વારકાધીશની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મંદિર વ્યવસ્થાપન સમિતિએ કહ્યું છે આ રથયાત્રાના માત્ર પૂજારી પરિવાર જ સામેલ થશે. તેમજ કોરોના ગાઈડ લાઇન મુજબ જ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ રવિવારે દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.
આ પણ વાંચો : Ahmedabad: માસ પ્રમોશન માટે વિરોધ કરતા રિપીટર વિદ્યાર્થીઓની ગાંધી આશ્રમથી અટકાયત
આ પણ વાંચો : Jamnagar: કાલાવાડનું રામાપીરનું મંદિર અષાઢી બીજના દિવસે રહેશે ખુલ્લું