કોન્ટ્રાકટ પૂરો થયો હોવા છતા, ભરૂચના સ્મશાન સંચાલકે, કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના મૃતદેહનો કર્યો નિકાલ
ભરૂચના કોવિડ સ્મશાનગૃહના સંચાલકે કોન્ટ્રાક્ટ પૂરો થયો હોવા છતા, કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીઓના મૃતદેહને અંતિમ સંસ્કાર કર્યા હતા. ભરૂચ નગરપાલિકા દ્વારા કોવીડથી મૃત્યુ પામનારા દર્દીઓના મૃતદેહના અગ્નિસંસ્કારથી નિકાલ કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જે ગઈકાલે પૂરો થઈ ગયો છે. છતા કોન્ટ્રાકટરે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના મૃતદેહને અગ્નિ સંસ્કાર કરીને નિકાલ કર્યા. ગઈકાલે રાતે ભરૂચ […]
ભરૂચના કોવિડ સ્મશાનગૃહના સંચાલકે કોન્ટ્રાક્ટ પૂરો થયો હોવા છતા, કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીઓના મૃતદેહને અંતિમ સંસ્કાર કર્યા હતા. ભરૂચ નગરપાલિકા દ્વારા કોવીડથી મૃત્યુ પામનારા દર્દીઓના મૃતદેહના અગ્નિસંસ્કારથી નિકાલ કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જે ગઈકાલે પૂરો થઈ ગયો છે. છતા કોન્ટ્રાકટરે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના મૃતદેહને અગ્નિ સંસ્કાર કરીને નિકાલ કર્યા.
ગઈકાલે રાતે ભરૂચ કોવીડ સ્મશાનના સંચાલક ધર્મેશ સોલંકીએ વિડીયો વાઇરલ કરી આજથી કોવીડ સ્મશાનની કામગીરી નહિ કરવાની જાહેરાત કરી હતી. બે સરકારી વાહનો પણ પાલિકામાં જમા કરાવી દેવતા આજથી સમસ્યા વિકટ બનવાનો ભય ઉભો થયો હતો અને બન્યું પણ કી એવુ જ કે જેમાં સવારે કોરોના સારવાર હેઠળના ૫ દર્દીઓના મૃત્યુ નિપજતા અંતિમક્રિયા માટે સમસ્યા ઉભી થઇ હતી.
મૃતકના સગાઓ આજીજી કરતા આખરે સંચાલકે માંગણીઓ પડતી મૂકી સ્મશાનની કામગીરી ફરું શરૂ કરી દીધી છે. સ્મશાન સંચાલકે જણાવ્યું હતું કે તંત્ર તરફથી તેમનો સંપર્ક કરવાની પણ તસ્દી દેવાઈ નથી છતાં માનવતાના ધોરણે તેઓ ફરી કામગીરીમાં જોતરાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો