કૃષિ ઉપજને લઇને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) નક્કી કરતી ફોર્મ્યુલા જાહેર કરવા માગ

કૃષિ ઉપજને લઇને લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરતી ફોર્મ્યુલા સરકારે જાહેર કરે તેવી માગ ઉઠી છે. જો કે આ કમિટીની ગણતરી ખોટી હોવાનું સામે આવ્યું છે.

કૃષિ ઉપજને લઇને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) નક્કી કરતી ફોર્મ્યુલા જાહેર કરવા માગ
MSP
Follow Us:
| Updated on: Feb 10, 2021 | 1:00 PM

કૃષિ ઉપજને લઇને લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરતી ફોર્મ્યુલા સરકારે જાહેર કરે તેવી માગ ઉઠી છે. જો કે આ કમિટીની ગણતરી ખોટી હોવાનું સામે આવ્યું છે. કમિટીએ ભાવ નક્કી કરતી વેળાએ ખેડૂતના પરિવારના સભ્યની લેબર કોસ્ટ, માર્કેટ સુધી ઉપજનો પહોંચાડવાનો ખર્ચ અને તેને માટે ચૂકવવું પડતું વીમાના પ્રીમિયમના ખર્ચને ગણતરીમાં લીધા નથી. પરિણામે નક્કી કરવામાં આવેલા લઘુતમ ટકાના ભાવ અંદાજે 30થી 35 ટકા નીચા છે.

ભારત સરકાર દ્વારા અત્યારે 23 ઉપજોના લઘુતમ ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા કમિશન ફોર એગ્રીકલર્ચર કોસ્ટ એન્ડ પ્રાસિસન 23 જેટલી કૃષિ ઉપજના લઘુત્તમ ટેકાના ભાવ નક્કી કરે છે. રવી અને ખરીફ મોસમમાં લેવાતા આ 23 પાક છે. અત્યારે સ્વામિનાથન કમિટી આ નિર્ણય લઈ રહી છે. પરંતુ ખેડૂત દ્વારા દહાડિયા મજૂર તરીકે રાખવામાં આવતા માણસો પાછળ કરવામાં આવતા ખર્ચને લઘુતમ ટેકાના ભાવ નક્કી કરવા માટેની ફોર્મ્યુલામાં ગણતરીમાં લેવામાં આવતા નથી. આ જ રીતે ખેડૂતની જે જમીન છે તેના ભાડાંના ખર્ચ પણ ઉમેરવો જરૂરી છે. જમીનના જંત્રીના દર પ્રમાણે તે ભાડાંના દર નક્કી થવા જોઈએ. તેવી જ રીતે પાકને બજાર સુધી લઈ જવાના ખર્ચને પણ લઘુતમ ટેકાના ભાવ નક્કી કરવા માટે ગણતરીમાં લેવામાં આવતા નથી.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને આવતી રકમમાં 50 ટકા રકમ ઉમેરીની લઘુતમ ટેકાના ભાવ નક્કી કરવાના હોય છે. પરંતુ સ્વામિનાથન કમિટી પણ આ બધી જ બાબતોને ગણતરીમા લેતી નથી. સરકારે લઘુતમ ટેકાના ભાવ નક્કી કરવા માટે તૈયાર કરેલી ફોર્મ્યુલા જ જાહેર કરી દે તો તેમાં પારદર્શકતા આવી જશે અને ખેડૂતો અને સરકાર વચ્ચેના વિવાદો શમી જશે એમ ખેડૂત નેતાઓનું માનવું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">