રાહુલ ગાંધી 10 મેના રોજ ગુજરાતના પ્રવાસે આવશે, દાહોદમાં આદિવાસી અધિકાર સત્યાગ્રહનો પ્રારંભ કરાવશે
દાહોદની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડમાં રાહુલ જાહેર સભા સંબોધશે. તેને લઈ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, અમિત ચાવડા સહિતના નેતાઓએ જિલ્લા કૉંગ્રેસના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી કાર્યક્રમની રૂપરેખા નક્કી કરી હતી.
આગામી 10મેના દિવસે કોંગ્રેસ (Congress) પક્ષના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi ) ગુજરાતની મુલાકાતે આવશે. રાહુલના ગુજરાત પ્રવાસને લઈ પ્રદેશ કૉંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દાહોદ આવનાર રાહુલ આદિવાસી અધિકાર સત્યાગ્રહનો પ્રારંભ કરાવશે. દાહોદની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડમાં રાહુલ જાહેર સભા સંબોધશે. તેને લઈ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, અમિત ચાવડા સહિતના નેતાઓએ જિલ્લા કૉંગ્રેસના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી કાર્યક્રમની રૂપરેખા નક્કી કરી. મહત્વનું છે તે, પહેલા રાહુલ ગાંધી પહેલી મેના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના હતા પરંતુ, કોઈ કારણોસર તેમના કાર્યક્રમમાં ફેરફાર થયો અને 10મી તારીખ નક્કી કરવામાં આવી.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022)જીતવા માટે તમામ પક્ષોએ અત્યારથી તૈયારીઓ શરુ કરી દીધી છે. કેન્દ્રના મોટા નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એક પછી એક ગુજરાત પ્રવાસ વધી ગયો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ પણ 1મેના રોજ ગુજરાત પ્રવાસે આવવાનો કાર્યક્રમ બનાવ્યો હતો. જો કે રાહુલ ગાંધીએ હવે આ પ્રવાસ રદ કર્યો છે. રાહુલ ગાંધીનો 1 મેના રોજ વિદેશ પ્રવાસ હોવાથી આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે ગુજરાતમાં આદિવાસી વસ્તીની વોટ બેંક પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ખૂબ મહત્વની માનવામાં આવે છે. આદિવાસી વોટબેંક મેળવવા દાહોદમાં રાજકીય પક્ષો સંમેલન અને સભાઓ કરાવાનું આયોજન બનાવી રહ્યા છે. 20 એપ્રિલે વડાપ્રધાન મોદી દાહોદમાં સંમેલન કરી ચુક્યા છે. જે બાદ કોંગ્રેસના રાહુલ ગાંધીએ પણ દાહોદમાં જ કોંગ્રેસની બેઠક કરવાની યોજના બનાવી હતી. ત્યારે હવે રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસને પગલે ગુજરાતના સ્થાનિક નેતાઓ જ આ કાર્યક્રમને આગળ વધારશે.
દાહોદમાં 10 મેના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દાહોદ નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે જાહેર સભા સંબોધશે. આ સભામાં રાહુલ ગાંધી 1.5 લાખ જેટલી જનમેદનીને સંબોધન કરશે. દાહોદ જીલ્લા સહીત પંચમહાલ અને છોટાઉદેપુર સુધીના કાર્યકર્તાઓ જાહેર સભામાં ઉપસ્થિત રહેશે.
રાહુલ ગાંધીના પ્રવાસ પહેલાં દાહોદ જીલ્લા મુલાકાતે આવેલ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરએ ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા. કોગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલને પક્ષ પલટાને લઇ ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા. ભાજપ જે કોંગ્રેસને તોડવાનો પ્રયાસ કરે છે તે સપના જોવાના બંધ કરે. આદિવાસી બનવાના બોગસ પ્રમાણપત્રનો મુદ્દો હોય કે તાપી લીંક મુદ્દો અને દિલ્લી બોમ્બે નેશનલ કોરીડોર રોડ મુદ્દે મહત્વનું નિવેદન આપ્યુ હતું.