Dahod ના ખજુરી ગામે મહિલા પર અત્યાચારનો વિડીયો વાયરલ કરવા બદલ પોલીસે 19 લોકોની ધરપકડ કરી
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતાની સાથે જ જિલ્લા સહિત ગુજરાત રાજયમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યારે આ બનાવ સંદર્ભે પોલીસે પતિ સહિત 19 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો તેમની અટકાયત કરી છે.
દાહોદ(Dahod)જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામે પરણીત મહિલા(Woman)ને જાહેરમાં માર મારવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવા બદલ પોલીસે 19 લોકોની ધરપકડ કરી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતાની સાથે જ જિલ્લા સહિત ગુજરાત રાજયમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
દાહોદ(Dahod) જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામે પરણીત મહિલા(Woman) પર થયેલ અત્યાચારના બનાવના પડઘા સમગ્ર દાહોદ જિલ્લા સહિત ગુજરાત(Gujarat) માં પડી રહ્યા છે. ત્યારે આ બનાવમાં એક નવો વળાંક સામે આવ્યો છે. જેમાં અત્યાચારનો ભોગ બનેલી પરિણીતા દ્વારા પોતાના પતિ વિરુદ્ધ લગ્ન જીવનના સમયગાળા દરમિયાન શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ પરિણીતાએ પોલીસ મથકે નોંધાવતા પોલીસે પરિણીતાના પતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અત્યાચારનો ભોગ બનેલ 23 વર્ષીય પરિણીતા સાજનબેન દિનેશભાઈ કાનીયાભાઈ મછાર (રહે. ખજુરી, મછાર નીચવાસ ફળિયું, તાલુકો ધાનપુર, જિલ્લો દાહોદ) દ્વારા ગત તારીખ 8મી જુલાઇના રોજ પોતાના પતિ દિનેશભાઈ કાનીયાભાઈ મછાર વિરુદ્ધ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ આપતા પરિણીતાએ જણાવ્યું હતું કે, દિનેશભાઈ સાથે તેઓના લગ્ન આજથી પાંચ વર્ષ પહેલા સમાજના રીતરિવાજ મુજબ થયા હતા.
લગ્નના એકાદ વર્ષ સુધી સારું રાખ્યા બાદ પરિણીતા સાજનબેનને કોઈને કોઈ પ્રકારે પતિ દિનેશભાઈ દ્વારા મેણા-ટોણા મારી અને ઘરનું કામ આવડતું નથી, તું મને ગમતી નથી, તારી ચાલ ચલગત સારી નથી, તેમ કહી વારંવાર સાજનબેનને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો. આ સંદર્ભે ધાનપુર પોલીસ મથકે પરિણીતા સાજનબેનની ફરિયાદના આધારે આ ગુનાની કલમનો પણ ઉમેરો કરી પતિ દિનેશભાઈ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામે આ પરિણીતા પોતાના પ્રેમી સાથે ભાગી ગઇ હતી અને ત્યારબાદ પરિણીતાના પ્રથમ પતિ તથા તેના સાસરિયા તેમજ ગ્રામજનો દ્વારા પરિણીતા તથા તેના પ્રેમીને પકડી લાવી ખજૂરી ગામે લઇ આવ્યા હતા અને ત્યાં પરિણીતા અને તેના પ્રેમીને ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ પરિણીતા સાજનબેનના ખભા પર પતિ દિનેશભાઈ બેસી જઈ ગામમાં ફેરવી હતી.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતાની સાથે જ જિલ્લા સહિત ગુજરાત રાજયમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યારે આ બનાવ સંદર્ભે પોલીસે પતિ સહિત 19 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો તેમની અટકાયત કરી છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી અને આવી ઘટના ગુજરાતમાં ચલાવી લેવામાં નહીં આવે તેમજ સ્ત્રીઓનું માન સન્માન જળવાઈ તેમજ તેઓને ન્યાય મળે તે માટે આ ઘટના અંગે મુખ્યમંત્રી દ્વારા તપાસના આદેશો પણ આપવામાં આવ્યા હતા અને આરોપીઓને સખતમાં સખત સજા કરવામાં આવશે એવું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું.
આ સંદર્ભે દાહોદ જિલ્લાના કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડા દ્વારા પણ આવી ઘટનાઓને તેમજ સ્ત્રીઓ પર થતાં અત્યાચારના બનાવોને સાંખી લેવામાં નહીં આવે તેવા કડક આદેશો સાથે ચેતવણી પણ ઉચ્ચારી હતી કે, ખોટી માન્યતા અને અંધશ્રદ્ધાના નામે મહિલાઓ સાથે તેમના આત્મગૌરવને હાનિ પહોંચે એવું કોઈપણ કૃત્ય ચલાવી લેવામાં નહીં આવે.
સમાજને જાગૃત કરવા માટે એક જનજાગૃતિ અભિયાન આગામી દિવસમાં દાહોદ જિલ્લામાં ચલાવવામાં આવશે. આ માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સુરક્ષા સમિતીની રચના કરવાનો પણ કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે આ ગુન્હામાં ધાનપુર પોલીસ દ્વારા 19 લોકો વિરુદ્ધ ગુનો નોધવામાં આવેલ છે જેમાં (1) મહિલાને જાહેરમાં મારવા અંગે (2) મહિલાને પતિ અને સાસરિયા દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપવા અંગે (3) 19 લોકો દ્વારા લૂંટ કરવા અંગે હાલ પોલીસ દ્વારા ગુનાની કલમ ઉમેરવામાં આવી છે.