Dahod : સુખસર પોલીસ સ્ટેશનની હદમાં બુલડોઝર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, પરિવારના 4 સભ્યોના મોત
દાહોદના સુખસર પોલીસ સ્ટેશન વિસ્તારના સ્ટેટ હાઈવે પર એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જ્યાં બાઇક સવાર બુલડોઝર સાથે અથડાતા 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.મૃતકોમાં બે બાળકો, એક મહિલા ઉપરાંત એક પુરુષનો સમાવેશ થાય છે.
ગુજરાતના (Gujarat) દાહોદ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં (Accident) ચાર લોકોના મોત થયા છે. બુધવારે મોડી રાત્રે આ અકસ્માત થયો હતો. તમામ મૃતકો એક જ પરિવારના રહેવાસી હોવાની માહિતી છે. પરિવાર ઝાલોદ શહેરથી સુખસર પરત ફરી રહ્યો હતો, ત્યારે બુલડોઝર (Bulldozer) સાથે મોટરસાયકલ અથડાતા એક મજૂર, તેની પત્ની અને બે સગીર પુત્રોના મોત થયા હતા, જ્યારે અકસ્માતમાં બે પુત્રીઓને ઈજા થઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ પહોંચી અને તમામને સ્થાનિક જિલ્લા હોસ્પિટલમાં લઈ ગઈ. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના મંગળવારે સાંજે બની હતી.
આ અંગે મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સુખસર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ફતેપુરા તાલુકાના ગની ખુંટ ગામમાં એક બાંધકામ સાઈટ પર લગાવવામાં આવેલ બુલડોઝરનું ફ્રન્ટ લોડર અચાનક રાજ્ય ધોરીમાર્ગ પર પરિવારના વાહનની સામે આવી ગયું હતું. ઘટના સ્થળે જ મોત અને 2 લોકો ઘાયલ થયા. મૃતકોમાં પિતા, માતા અને બે પુત્રો પણ સામેલ છે.
બાળકીઓ સારવાર હેઠળ
પોલીસના જણાવ્યા અનુસાર દાહોદ જિલ્લાના ઝાલોદ શહેરમાંથી એક જ પરિવારના 4 સભ્યો સુખસર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન મંગળવારે સાંજે સુખસર પોલીસ સ્ટેશન નજીક પહોંચતા જ સામેથી આવતા બુલડોઝરમાં બાઇક ઘુસી ગયું હતું. જ્યાં બાઇક પર સવાર 6 લોકો ખરાબ રીતે ફસાઇ ગયા હતા. તેમણે જણાવ્યું કે આ અકસ્માતમાં એક વ્યક્તિ અને તેના બે પુત્રો (4 અને 12)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને તેની પત્નીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. તેની પુત્રીઓ (ઉં. 8 અને 10 વર્ષ) આ અકસ્માતમાં ઘાયલ થઈ હતી. જ્યાં બંનેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
બુલડોઝર ચાલક સ્થળ પરથી ફરાર
આ મામલામાં પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે અકસ્માત બાદ બુલડોઝર ચાલક ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. આ દરમિયાન પોલીસે આરોપી બુલડોઝર ચાલક સામે ગુનો નોંધ્યો છે. હાલ પોલીસે કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. તેમણે જણાવ્યું હતું કે ફતેપુરા તાલુકાના ગની ખૂંટ ગામમાં એક બાંધકામ સાઈટ પર બુલડોઝરનું આગળનું લોડર અચાનક તૂટી પડ્યું હતું. જેના કારણે સ્ટેટ હાઇવે પર બાઇક સવાર પરિવારના વાહનની સામે અથડાયો હતો.
આ પણ વાંચો : Vadodara: બનાવવું હતું જંગલ, બની ગયો ઉકરડો ! અધિકારીઓનું અજ્ઞાન કરોડોમાં પડ્યું ! જંગલનો કેમ થયો ‘કચરો ?’
આ પણ વાંચો : Rajkot: કાગવડ ખોડલધામ ખાતે આજે ટ્રસ્ટીઓની બેઠક, નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે ચર્ચા કરશે
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો