પેટા ચૂંટણીપૂર્વે ગુજરાતમાં દારૂ પર દંગલ, CM રૂપાણીએ કહ્યું કોંગ્રેસના નેતાઓ જયપુરમાં દારૂ પી સ્વીમીંગ પૂલમાં ડૂબકી મારતા હતા, અમિત ચાવડાએ કીધુ જનતા મતથી જવાબ આપશે
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણીને લઇને નેતાઓ પ્રચારમાં જોડાઇ ગયા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર શરું થઇ ચૂક્યો છે ત્યારે આજે અબડાસામાં ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતાઓ પર દારુંને લઇ સવાલ ઉઠાવ્યા છે. મુખ્યમંત્રી રુપાણીએ જનતાને આહવાન કર્યું કે જનતા કોંગ્રેસના નેતાઓને પૂછે કે કોરોનાકાળ દરમિયાન કોંગ્રેસના નેતાઓ શા […]
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણીને લઇને નેતાઓ પ્રચારમાં જોડાઇ ગયા છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર શરું થઇ ચૂક્યો છે ત્યારે આજે અબડાસામાં ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસના નેતાઓ પર દારુંને લઇ સવાલ ઉઠાવ્યા છે. મુખ્યમંત્રી રુપાણીએ જનતાને આહવાન કર્યું કે જનતા કોંગ્રેસના નેતાઓને પૂછે કે કોરોનાકાળ દરમિયાન કોંગ્રેસના નેતાઓ શા માટે જયપુર ગયા હતા? સાથે જ મુખ્યમંત્રી રુપાણીએ કોંગ્રેસના નેતાઓ પર દારું પીને જપયુપરના રિસોર્ટમાં સ્વિમીંગ પૂલમાં ડૂબકી લગાવતા હોવાનો આરોપ લગાવ્યો છે. મુખ્યમંત્રી રુપાણીના નિવેદનને લઇને અમિત ચાવડાનું કહેવું છે કે જનતામાં આક્રોશ છે અને જનતાનું કહેવુ છે કે અમારા મતને વેચનારાને અમે સબક શિખવાડીશું અને 3 નવેમ્બરે જનતા મતથી જવાબ આપશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો