Cyclone Tauktae Update : વાવાઝોડાનો સામનો કરવા સુરતનું તંત્ર તૈયાર, લોકોને કરી સુરક્ષા અને સાવચેતીની અપીલ
Cyclone Tauktae Update : તાઉ તે વાવાઝોડાની અસર રવિવારથી જ સુરતમાં જોવા મળી હતી. આ વાવાઝોડું સુરતના દરિયાકાંઠાથી 80 થી 90 કિમીની ઝડપે પસાર થશે.
Cyclone Tauktae Update : તાઉ તે વાવાઝોડાની અસર રવિવારથી જ સુરતમાં જોવા મળી હતી. આ વાવાઝોડું સુરતના દરિયાકાંઠાથી 80 થી 90 કિમીની ઝડપે પસાર થશે. જેથી તેજ પવન અને ભારે વરસાદની આગાહી આજે અને આવતીકાલે કરવામાં આવી છે. જે લોકો કાચા મકાનોમાં રહે છે, તેમજ દરિયાકાંઠે રહે છે તેમને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. વીજ કાપના સંદર્ભમાં પાણીનો સંગ્રહ કરવા પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
ઝાડ અને જર્જરિત મકાનોથી દુર રહેવા અપીલ કરવામાં આવી છે. વાવાઝોડા દરમ્યાન બહાર નહિ નીકળવા સૂચના આપવામાં આવી છે. તારીખ 17 અને 18 એમ બે દિવસ શહેરીજનોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.
વાવાઝોડાની અસરને પગલે પાલિકાએ તમામ ઝોનમાંથી 410 હોર્ડિંગ્સ અને 356 જેટલા વૃક્ષોનું ટ્રીમિંગ કર્યું છે. 24 કલાક માટે પાલિકાએ ઇમરજન્સી કન્ટ્રોલ રૂમ પણ શરૂ કર્યો છે. દરેક ઝોનમાં ઇમરજન્સી નંબરો જાહેર કરી દેવામાં આવ્યા છે.
વાવાઝોડા પહેલા શું કરવું ? –અફવાઓથી દૂર રહો, શાંત રહો –મોબાઈલ ચાર્જ રાખો –હવામાન વિભાગની માહિતી મેળવતા રહો –રેડિયો, ટીવી, સમાચારપત્રો વાંચતા રહો –દસ્તાવેજો કિંમતી વસ્તુઓને વોટર પ્રુફ કન્ટેનરમાં રાખો.. –કટોકટીની કીટ તૈયાર રાખો –તીક્ષ્ણ વસ્તુઓથી દુર રહો..
વાવાઝોડા દરમ્યાન અને પછી શું કરશો ? –ઇલેક્ટ્રિક સાધનોનો પાવર અને ગેસનો પુરવઠો બંધ કરી દો –દરવાજા બારી બંધ રાખો –જો તમારું ઘર અસુરક્ષિત છે તો સુરક્ષિત સ્થળ પર જતાં રહો –ઉકાળેલું ક્લોરીનયુક્ત પાણી પીઓ –તંત્ર દ્વારા અપાયેલી સૂચના પર જ વિશ્વાસ કરો –તૂટેલા ઇલેક્ટ્રિક થાંભલા અને વૃક્ષથી દુર રહો.