Cyclone Tauktae : વાવાઝોડાએ રંગ દેખાડયો, કર્ણાટક-ગોવાના દરિયાકાંઠે તબાહીના દ્રશ્યો, અમિત શાહે બોલાવી બેઠક

Cyclone Tauktae : તાઉ-તે ચક્રવાતથી અત્યાર સુધીમાં કર્ણાટકમાં 4 લોકોના મોત થયા છે. રાજ્યના કુલ 73 ગામોને વાવાઝોડાથી અસર થઈ છે. ગૃહ મંત્રી અમિત શાહે વાવાઝોડા અંગેની તૈયારીઓને લઈને સમીક્ષા બેઠક બોલાવી છે.

| Updated on: May 16, 2021 | 4:58 PM

Cyclone Tauktae : તાઉ-તે ચક્રવાતથી અત્યાર સુધીમાં કર્ણાટકમાં 4 લોકોના મોત થયા છે. રાજ્યના કુલ 73 ગામોને વાવાઝોડાથી અસર થઈ છે. ગૃહ મંત્રી અમિત શાહે વાવાઝોડા અંગેની તૈયારીઓને લઈને સમીક્ષા બેઠક બોલાવી છે.

કર્ણાટકના દરિયાકાંઠે તબાહીનો માહોલ

‘તાઉ તે’ ચક્રવાતની અસર કર્ણાટકના દરિયાકાંઠે દેખાઇ રહી છે. કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 6 જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે લગભગ 73 જેટલા ગામો પ્રભાવિત થયા છે જ્યારે આ ઘટનામાં 4 લોકોનાં મોત નીપજ્યાં છે.

આ સાથે જ મહારાષ્ટ્રના રાહત અને પુનર્વસન પ્રધાન વિજય વડેટ્ટીવારે કહ્યું કે કોંકણ કાંઠા નજીકના જિલ્લાઓને ચક્રવાતની ચેતવણી અપાઇ છે. મુખ્યમંત્રીએ આ બાબતે જાણકારી મેળવી છે. મેં તેઓને પુનર્વસન કાર્ય બાબતની જાણકારી આપવામાં આવી છે. અમે આ વિસ્તારોમાં મોટા આશ્રયસ્થાનો તૈયાર કરવા સૂચના આપી છે. ચક્રવાત ‘તાઉ તે’ 12 કલાકમાં ખૂબ જ તીવ્ર બનશે. જ્યારે આજે તેને કારણે કેરળ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

ભારતના પશ્ચિમ દરિયાકાંઠાના પાંચ રાજ્યોમાં તાઉ-તે વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર કરાયું છે . એવી આગાહી છે કે અરબ સાગરમાં બની રહેલુ આ સાયકલોન હવે ભીષણ તોફાનમાં બદલાઈ ગયું છે. મોસમ વિભાગના જણાવ્યા મુજબ તાઉતે આગામી 24 કલાકમાં ગંભીર અને તે પછી ખૂબ ગંભીર સાયકલોનમાં રૂપાંતરિત થઈ જવાની આગાહી છે.

આ ચક્રવાત 18 મેની બપોરથી સાંજ સુધી ગુજરાતના પોરબંદર થઈને પાકિસ્તાન તરફ આગળ વધે તેવી પણ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન પોરબંદર અને નાલિયા તટ પર વધુ તારાજી થવાની શકયતાઓ દર્શાવવામાં આવી છે.

ભારતીય વાયુસેનાએ ‘તાઉતે’ ચક્રવાત વાવાઝોડાને પહોંચી વળવા માટે પોતાના 16 કાર્ગો વિમાન અને 18 હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. વાયુસેનાએ જણાવ્યુ હતું કે આગામી કેટલાક દિવસો દરિયાકાંઠાના વિસ્તારોમાં કોવીડ -19 રાહત અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો છે. કારણ કે ખરાબ હવામાનની કારણે આ વિસ્તારોમાં અભિયાન પર અસર પડી શકે છે.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચક્રવાત ‘તાઉ તે’ ની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ દરમિયાન, તેમણે લોકોને બચાવવા માટે અધિકારીઓને તમામ સંભવિત પગલા લેવા જણાવ્યું છે. આ સાથે વીજળી, ટેલિકોમ, આરોગ્ય, પીવાના પાણી જેવી તમામ આવશ્યક સેવાઓનું જાળવણી સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

Follow Us:
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">