‘મહા’ વાવાઝોડું સૌરાષ્ટ્રમાં મચાવી શકે છે તબાહી, રાજકોટમાં ખાસ કંટ્રોલરુમ કરાયો શરુ
‘મહા’ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના દરીયાકાંઠા પર સૌથી વધુ જોવા મળશે. રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. સરકારી અધિકારીઓની રજા રદ કરી સ્ટેન્ડ ટુ રહેવાનાં આદેશ આપવામાં આવ્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]
‘મહા’ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના દરીયાકાંઠા પર સૌથી વધુ જોવા મળશે. રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર સજ્જ થઈ ગયું છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. સરકારી અધિકારીઓની રજા રદ કરી સ્ટેન્ડ ટુ રહેવાનાં આદેશ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો : કેવી રીતે થાય છે ડેન્ગ્યુ અને જાણો તેનાથી બચવાના સરળ ઉપાય! જુઓ VIDEO
તંત્ર દ્વારા મગફળી અને કપાસ જેવા તૈયાર થયેલા પાકને નુકસાન ન થાય તે માટે તલાટી કમ મંત્રી અને ગ્રામ સેવકોને ખેડૂતોનાં સંપર્કમાં રહેવા સૂચના અપાઈ છે અને તૈયાર પાકને ઢાંકી દેવા સૂચના અપાઈ છે. મહત્વનું છે કે મહા વાવાઝોડું આગામી 6 અને 7 તારીખે સૌરાષ્ટ્રનાં દરીયાકાંઠા સાથે ટકરાવવાનું છે. ત્યારે ભારે પવન અને વરસાદ રહેવાની આગાહી હવામાન વિભાગે આપી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો