સુરત: મુશ્કેલીમાં રત્નકલાકાર! કારખાનેદારો કરી રહ્યા છે રત્નકલાકારોને પગાર ચૂકવવામાં ઠાગાઠૈયા
હવે કોરોનાના કાળમાં કફોડી સ્થિતિમાં મુકાયેલા રત્નકલાકારોની ફિકર કરીયે. સુરતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. સામે લાખો લોકો સામે રોજગારીનું સંકટ ઉભું થયું છે. તેમાં રત્નકલાકારોની હાલ ખુબ ખરાબ છે. સુરતમાં દિવસે દિવસે સંક્રમણ વધી રહ્યું છે, સાથે જ સ્થાનિકોની મુશ્કેલી પણ વધી રહી છે. સૌથી ખરાબ સ્થિતિ થઇ છે રત્નકલાકારોની […]
હવે કોરોનાના કાળમાં કફોડી સ્થિતિમાં મુકાયેલા રત્નકલાકારોની ફિકર કરીયે. સુરતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. સામે લાખો લોકો સામે રોજગારીનું સંકટ ઉભું થયું છે. તેમાં રત્નકલાકારોની હાલ ખુબ ખરાબ છે. સુરતમાં દિવસે દિવસે સંક્રમણ વધી રહ્યું છે, સાથે જ સ્થાનિકોની મુશ્કેલી પણ વધી રહી છે. સૌથી ખરાબ સ્થિતિ થઇ છે રત્નકલાકારોની લૉકડાઉનમાં ત્રણ મહિના સુધી કારખાના બંધ રહ્યા છે, જે બાદ સુરતમાં કોરોનાનો વિસ્ફોટ છતાં ફરી એકવાર કામગીરી અટકી ગઇ અને હવે રત્નકલાકારોને પગાર પણ નથી મળી રહ્યો. જેની સામે રત્નકાલાકારોમાં રોષ છે. હવે કારીગરોએ રત્નકલાકાર વિકાસ સંઘને રજૂઆત કરી છે. રત્નકલાકાર વિકાસ સંઘના સંચાલકો કારીગરોની પડખે આવ્યા છે. હવે ડાયમંડ એસોસિએશન સાથે મળી જલ્દી જ પગાર મળે તેવા પ્રયાસ કરવામાં આવશે.
આ પણ વાંચો: દેશમાં 3 કોરોના ટેસ્ટ લેબનું ઉદ્ઘાટન, એક-એક ભારતીયને બચાવવાનો છે: PM મોદી
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો