કોરોનાના કારણે સુરતના હીરાબજારમાં વેપાર કરવાના આવ્યા નવા નિયમ, જાણો શું છે નિયમ
કોરોનાની મહામારીના કારણે વેપાર-ધંધાના ધારાધોરણો બદલાઈ ગયા છે. સુરતનો હીરાઉદ્યોગ પણ તેમાંથી બાકાત નથી. કોરોનાના કારણે હીરાબજારમાં રોકડેથી જ વેપાર કરવાનું ચલણ વધ્યું છે. કારણે કોરોના કાળમાં નાણાની ખેંચના કારણે ઉધાર વેપાર ખૂબ જોખમી બન્યો છે. અનેક લોકોના પૈસા અટવાઈ ગયા છે અને અનેક પેઢીઓ ઉઠી ગઈ છે. જેથી વેપારીઓ હવે પોતે સુરક્ષિત રહેવા માટે […]
કોરોનાની મહામારીના કારણે વેપાર-ધંધાના ધારાધોરણો બદલાઈ ગયા છે. સુરતનો હીરાઉદ્યોગ પણ તેમાંથી બાકાત નથી. કોરોનાના કારણે હીરાબજારમાં રોકડેથી જ વેપાર કરવાનું ચલણ વધ્યું છે. કારણે કોરોના કાળમાં નાણાની ખેંચના કારણે ઉધાર વેપાર ખૂબ જોખમી બન્યો છે. અનેક લોકોના પૈસા અટવાઈ ગયા છે અને અનેક પેઢીઓ ઉઠી ગઈ છે. જેથી વેપારીઓ હવે પોતે સુરક્ષિત રહેવા માટે રોકડેથી જ વ્યવહાર કરી રહ્યા છે. વેપારીઓના રોકડ વ્યવહારના નિયમના કારણે રફ હીરાની ખરીદી કરવામાં ઉઠમણાની સંખ્યામાં ઘટાડો થવાની શક્યતા રહેલી છે. હીરાનો વેપારમાં પહેલા 60થી 90 દિવસનો સમય નાણાં ચૂકવવા આપતો હતો. જોકે ખરીદી કરનારાઓ ખરીદી બાદ નાણાં ચૂકવવામાં હાથ અધ્ધર કરી દે તેવી શક્યતા હવે નહિવત થઈ જશે.
આ પણ વાંચો: IPL 2020: મુંબઈ ઈન્ડિયન્સ અને CSK વચ્ચે પહેલો મુકાબલો, ગુજરાતી આ બે ખેલાડી પર રહેશે પ્રતિસ્પર્ધી ટીમની નજર
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો