Ahmedabad: કોરોનાથી સાજા થયેલા દર્દીએ સોલા સિવિલ હોસ્પિટલને 1 લાખ રુપિયા દાનમાં આપ્યા
અમદાવાદની સોલા સિવિલ હૉસ્પિટલમાંથી એક ઉદાહરણ રુપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની સોલા સિવિલ હૉસ્પિટલમાં રેમડિસિવર અને ઓક્સિજન આપવાથી 15 દિવસની સારવાર બાદ સાજા થયેલા દર્દીએ હૉસ્પિટલને 1 લાખ રુપિયા દાનમાં આપ્યા છે.
Coronavirus: અમદાવાદની સોલા સિવિલ હૉસ્પિટલમાંથી એક ઉદાહરણ રુપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદની સોલા સિવિલ હૉસ્પિટલમાં રેમડિસિવર અને ઓક્સિજન આપવાથી 15 દિવસની સારવાર બાદ સાજા થયેલા દર્દીએ હૉસ્પિટલને 1 લાખ રુપિયા દાનમાં આપ્યા છે.
આપને જણાવી દઈએ કે અમદાવાદના નિકોલમાં રહેતા અને નિવૃત સરકારી ઓફિસર જયેશભાઈ દેસાઈ અને તેમના પત્નીને 5 એપ્રિલે કોરોના પોઝિટિવ આવ્યો હતો. કોરોના પોઝિટિવ આવતા ત્રણ દિવસમાં તેમનું ઓક્સિજન લેવલ 70થી પણ નીચે જતુ રહ્યુ હતું. જયેશભાઈએ આસપાસની વિવિધ પ્રાઈવેટ હૉસ્પિટલમાં તપાસ કરી અને તેમને જાણકારી મળી કે માં કાર્ડ અને મેડિક્લેમ હોય તો હૉસ્પિટલમાં દાખલ નહોતા કરી રહ્યા.
ત્યારબાદ જયેશભાઆ દેસાઆએ 11 તારીખે સોલા સિવિલનો સંપર્ક સાધ્યો અને તેમને ઓક્સિજન આપવાની શરુઆત કરાઈ અને રેમડિસિવર ઈન્જેકશન અપાયુ, જેથી તેમનું ઓક્સિજન 70થી વધીને 90 થયુ અને ધીમેધીમે ઓક્સિજન 96 સુધી પહોંચી ગયુ. આમ તમામ મેડિકલ સ્ટાફના કામથી પ્રસન્ન થઈને જયેશભાઈએ હૉસ્પિટલને 1 લાખ રુપિયા દાન આપ્યા. જયેશભાઈ પ્રમાણે પ્રાઈવેટ હૉસ્પિટલમાં મને એક દિવસની સારવારનો 50 હજાર ખર્ચ કહ્યો હતો, 15 દિવસ દાખલ રહ્યો હોત તો 7.50 લાખ ખર્ચ થયો હોત.