આજકાલમાં ગુજરાત લવાશે કોરોના વેક્સિન, પરિક્ષણ માટે 1000 લોકોને અપાશે વેક્સિન
કોરોનાની ટ્રાયલ રસી, હવાઈમાર્ગે ગુજરાત લવાશે. આગામી બે દિવસમાં વેક્સિનનો જથ્થો ગુજરાતમાં લવાશે. કો વેક્સિનનો જથ્થો આવી ગયા બાદ, અમદાવાદ સ્થિત સોલા સિવીલ હોસ્પિટલમાં લઈ જવાશે. વેક્સિન માટે વોલિયન્ટર્સ તૈયાર કરાયા છે. પ્રથમ તબક્કામાં એક હજાર લોકોને રસી આપવામાં આવશે. કોરોનાની વેક્સિન અંગે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે યોજાનાર વરચ્યુલ બેઠક બાદ, મોડી સાંજે મુખ્યપ્રધાનની […]
કોરોનાની ટ્રાયલ રસી, હવાઈમાર્ગે ગુજરાત લવાશે. આગામી બે દિવસમાં વેક્સિનનો જથ્થો ગુજરાતમાં લવાશે. કો વેક્સિનનો જથ્થો આવી ગયા બાદ, અમદાવાદ સ્થિત સોલા સિવીલ હોસ્પિટલમાં લઈ જવાશે. વેક્સિન માટે વોલિયન્ટર્સ તૈયાર કરાયા છે. પ્રથમ તબક્કામાં એક હજાર લોકોને રસી આપવામાં આવશે. કોરોનાની વેક્સિન અંગે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે યોજાનાર વરચ્યુલ બેઠક બાદ, મોડી સાંજે મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં ખાસ બેઠક યોજાશે. હૈદરાબાદની ભારત બાયોટેક દ્વારા કોરોનાની વેક્સિન વિકસાવવામાં આવી છે. જેને હાલ કો વેક્સિન નામ આપવામા આવ્યું છે. ICMR અને નેશનલ વાયરોલોજી ઈન્સ્ટીટ્યુટ દ્વારા કો વેક્સિનના પરિક્ષણને મંજૂરી આપવામા આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો