રાજયમાં કોરોનાના નવા 810 પોઝિટિવ કેસ નોંધાયા, 6 દર્દીના મોત
કોરોના મહામારી વચ્ચે રાજ્યના નાગરિકો માટે રાહતના સમાચાર છે. છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. ફરી એકવાર કોરોનાનો આંક સૌથી નીચી સપાટીએ પહોંચ્યો છે. સતત 7 દિવસથી 1 હજારની નીચે નોંધાઇ રહેલા પોઝિટિવ કેસની સંખ્યામાં આઠમા દિવસે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 810 પોઝિટિવ કેસ નોંધાયા.જ્યારે 6 દર્દીઓના કોરોનાથી […]
કોરોના મહામારી વચ્ચે રાજ્યના નાગરિકો માટે રાહતના સમાચાર છે. છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. ફરી એકવાર કોરોનાનો આંક સૌથી નીચી સપાટીએ પહોંચ્યો છે. સતત 7 દિવસથી 1 હજારની નીચે નોંધાઇ રહેલા પોઝિટિવ કેસની સંખ્યામાં આઠમા દિવસે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. પાછલા 24 કલાકમાં રાજ્યમાં 810 પોઝિટિવ કેસ નોંધાયા.જ્યારે 6 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા.
રાજ્યના શહેરોમાં કોરોનાની સ્થિતિની જો વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 3 દર્દીઓના મોત સાથે નવા 168 પોઝિટિવ કેસ નોંધાયા. સુરત શહેરમાં 1 દર્દીના મોત સાથે 121 કેસ નોંધાયા. આ તરફ અરવલ્લી અને પાટણ જિલ્લામાં પણ 1-1 દર્દીનું કોરોનાથી મોત નિપજ્યું છે. તો વડોદરા શહેરમાં નવા 93 કેસ નોંધાયા. તો રાજકોટ શહેરમાં નવા 61 કેસ નોંધાયા.રાજ્યમાં હવે 61 દર્દીઓ જ વેન્ટિલેટર પર છે. તો એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 10,223 પર પહોંચી છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખ 42 હજાર 655 પર પહોંચી છે. જ્યારે કોરોના સામેનો જંગ જીતનાર કુલ દર્દીઓની સંખ્યા 2 લાખ 28 હજાર 144 પર પહોંચી છે.જ્યારે અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 4,288 પર પહોંચ્યો છે.
આ તરફ અમદાવાદમાં પણ કોરોના મંદ પડી રહ્યો છે.સતત પાછલા કેટલાક દિવસોથી કોરોનાના કેસ ઘટવાની સાથે મૃત્યુઆંક પણ ઘટી રહ્યો છે.પાછલા 24 કલાકમાં અમદાવાદમાં 174 પોઝિટિવ કેસ નોંધાયા. તો 3 દર્દીઓના મોત નિપજ્યા.અમદાવાદ શહેરમાં 168 કેસ નોંધાયા જ્યારે 175 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા. આ તરફ અમદાવાદ જિલ્લામાં 6 પોઝિટિવ કેસ નોંધાવાની સાથે 5 દર્દીઓ સાજા થયા.