રાજયમાં કોરોનાનાં નવા 804 પોઝિટિવ કેસ નોંધાયા, 7 દર્દીના મોત
રાજ્યમાં કોરોનાનાં કેસમાં સતત સુધારો થઈ રહ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 804 કેસ નોંધાયા છે. જ્યારે 7 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. સૌથી વધુ અમદાવાદમાં 3 દર્દીઓના મોત થયા છે. તો બનાસકાંઠા,બોટાદ, સુરતમાં 1-1 દર્દીનું મોત નિપજ્યું છે. તો પાછલા 24 કલાકમાં 999 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં હજુ […]
રાજ્યમાં કોરોનાનાં કેસમાં સતત સુધારો થઈ રહ્યો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં 804 કેસ નોંધાયા છે. જ્યારે 7 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. સૌથી વધુ અમદાવાદમાં 3 દર્દીઓના મોત થયા છે. તો બનાસકાંઠા,બોટાદ, સુરતમાં 1-1 દર્દીનું મોત નિપજ્યું છે. તો પાછલા 24 કલાકમાં 999 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં હજુ પણ એક્ટીવ કેસની સંખ્યા 10 હજારને પાર છે. તો 63 દર્દીઓ હજુ પણ વેન્ટીલેટર ઉપર સારવાર લઈ રહ્યા છે. મહત્વનું છે કે રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓનો આંક 2 લાખ 29 હજાર 143 થયો છે.