કોરોનાથી મોત, સરકારી ચોપડે-સ્મશાનના ચોપડે નોંધાતા મોત વચ્ચે જમીન આસમાનનો તફાવત

સરકારી તંત્ર કેમ કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના આંકડા છુપાવે છે ? રાજકોટમાં જ સારવાર માટે દાખલ થયેલા કોરોનાના Corona દર્દીઓમાંથી 66 દર્દીઓ તો છેલ્લા પાંચ જ દિવસમાં મૃત્યુ પામ્યા છે.

| Updated on: Apr 06, 2021 | 11:41 AM

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોના Corona મહારોગની સ્થિતિ વકરી ચૂકી છે. રોજબરોજ કોરોનાની સારવાર માટે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. તો કોરાનાને કારણે મૃત્યુ પામનારાઓની સ્થિતિ પણ વધી રહી છે. સરકારી ચોપડે જે કોઈ મોત બતાવવામાં આવે છે અને વાસ્તવિકમાં જે કોઈ મોત થાય છે તેમાં જમીન આસમાનનો તફાવત જોવા મળે છે.

સૌરાષ્ટ્રના મુખ્ય શહેર અને જિલ્લા એવા રાજકોટમાં કોરોનાની સ્થિતિ કાબુ બહાર હોવાનું કહેવાઈ રહ્યું છે. હોળી બાદ રાજકોટમાં કોરોનાના દર્દીઓ નોંધાવવાની સ્થિતિ બમણી થઈ ચૂકી છે. રાજકોટમાં છેલ્લા 11 દિવસમાં જ કોરોનાના 102 દર્દીઓ નોંધાઈ ચૂકયા છે. આવા દર્દીઓમાંથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા પણ એટલી જ ઝડપથી વધી રહી છે. માત્ર રાજકોટમાં જ સારવાર માટે દાખલ થયેલા કોરોનાના દર્દીઓમાંથી 66 દર્દીઓ તો છેલ્લા પાંચ જ દિવસમાં મૃત્યુ પામ્યા છે.

કોરોનાના લક્ષણો સાથે દાખલ થતા દર્દીઓમાંથી જે કોઈ સરકારી હોસ્પિટલમાં મૃત્યુ પામે છે તે આંકડાઓ છુપાવવામાં આવી રહ્યાં હોવાનુ સૌ કોઈ કહે છે. આ વાતને સાચી ઠેરવી રહ્યા છે સરકારી અને સ્મશાનના ચોપડા. સરકારી ચોપડે આગળીના વેઢે ગણી શકાય એટલી માત્રામાં જ મોત દર્શાવવામાં આવે છે. જ્યારે કોરોનાના મૃત દર્દીઓ કે જેમને પીપીઈ કીટમાં પેક કરીને સ્મશાને પહોચાડવામા આવે છે તે મૃતદેહની સંખ્યા સરકાર ચોપડે બતાવવામાં આવતી સંખ્યા કરતા વધુ છે.

સરકાર કેમ કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના આંકડા છુપાવે છે ? આ વાત ઠેર ઠેર ચર્ચાઈ રહી છે. સરકારી અધિકારીનું કહેવુ છે કે, કોરોનાની ફરિયાદ સાથે દાખલ થયાલે દર્દીઓમાંથી કેટલાક અન્ય રોગને કારણે પણ મૃત્યુ પામતા હોય છે. આથી કોરોનાના લક્ષણ સાથે દાખલ થયેલા દર્દી જો મૃત્યુ પામે તો તેમને અગાઉથી કોઈ જીવલેણ બિમારી હતી કે કેમ તે ચકાસીને તેમના ડેથ ઓડીટ કરવામાં આવે છે અને તેના આધારે આવા દર્દીઓના મોત કયા કારણથી થયા છે તે જાહેર કરવામાં આવે છે.

કારણ જે કોઈ હોય પણ એક વાત નક્કી થઈ ચૂકી છે કે, સરકારી કે ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ પામતા કોરોનાના દર્દીઓ અને જે તે શહેરના સ્મશાનગૃહમાં લવાતા મૃતદેહની સંખ્યા વચ્ચે જમીન આસમાનનો તફાવત જોવા મળે છે.

રાજકોટમાં કોરોનાની સારવાર માટે દાખલ થયેલા દર્દીઓમાંથી કઈ તારીખે કેટલા નિપજ્યા મોત તેના પર કરીએ આંકડાકીય નજર.

26 માર્ચે 8
27 માર્ચે 6
28 માર્ચે 4
29 માર્ચે 6
30 માર્ચે 3
31 માર્ચે 9
1 એપ્રિલે 11
2 એપ્રિલે 12
3 એપ્રિલે 13
4 એપ્રિલે 14
5 એપ્રિલે 16

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">