કોરોના : ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરના પડકારને પહોંચી વળવા 150 ઑક્સીજન પ્લાન્ટ સ્થપાશે
જરાતમાં નવા 150 (PSA) ઑક્સીજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે. જેમાં તબીબી ઉપયોગ માટે 300 મેટ્રિક ટન મેડિકલ ઑક્સીજન ઉત્પન્ન કરવાની ક્ષમતા હશે. સીએમ રૂપાણીએ આ વાત બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની સ્થિતિની સમીક્ષા બાદ જણાવી હતી.
ગુજરાતમાં Corona ની બીજી તરંગમાં દર્દીઓના ઑક્સીજન લેવલ ઘટવાના નવા લક્ષણના પગલે રાજ્યમાં એકસમયે ઑક્સીજનની અછત ઊભી થઇ હતી. જેથી સરકારે હવે કોરોનાની ત્રીજી લહેર પૂર્વે નવી માળખાકીય સુવિધા ઊભી કરવાની ક્વાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે સીએમ રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતમાં નવા 150 (PSA) ઑક્સીજન પ્લાન્ટ સ્થાપવામાં આવશે. જેમાં તબીબી ઉપયોગ માટે 300 મેટ્રિક ટન મેડિકલ ઑક્સીજન ઉત્પન્ન કરવાની ક્ષમતા હશે. સીએમ રૂપાણીએ આ વાત બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની સ્થિતિની સમીક્ષા બાદ જણાવી હતી.
સીએમ રૂપાણીએ કહ્યું હતું કે “રાજ્ય સરકારે રાજ્યભરમાં 150 (PSA)પીએસએ ઑક્સીજન પ્લાન્ટ સ્થાપવાનું પણ નક્કી કર્યું છે, જેમા 300 મેટ્રિક ટન ઓક્સિજન ઉત્પન્ન કરવાની કુલ ક્ષમતા હશે. જ્યારે Corona ની ત્રીજી લહેર વિશે વાત કરવામાં આવી રહી છે ત્યારે જરૂર પડે તો તેનો ઉપયોગ કરી શકીએ. આનાથી કોરોનાની ત્રીજી લહેરમાં ઓક્સિજનની અછત નહીં રહે તેની ખાતરી કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં Corona ની બીજા લહેર દરમ્યાન રાજ્યમાં ઓક્સિજનની જરૂરિયાત આશરે 1,180 મેટ્રિક ટન થઈ ગઈ છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યમાંથી નવા કોવિડ કેસ નોંધાયા છે. જોકે છેલ્લા 10-12 દિવસથી તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં આશરે 1000 મેટ્રિક ટન ઓક્સિજનની સપ્લાય કરવામાં આવી રહી હતી.આ અગાઉ અહેવાલ આવ્યો હતો કે રાજ્ય સરકાર 22 સરકારી હોસ્પિટલોમાં પીએસએના 36 પ્લાન્ટ સ્થાપવાની યોજના બનાવી રહી છે. જયારે કોરોનાની ત્રીજી લહેરની અપેક્ષાએ રૂપાણીએ કહ્યું કે સરકાર બનાસકાંઠા જિલ્લામાં 10 એમટી પીએસએ પ્લાન્ટ સ્થાપશે.
મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું હતું કે તેમની સરકારે કોવિડ -19 લક્ષણોવાળા તમામ લોકોને 24 કલાક માટે ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક સારવાર માટે કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવું ફરજિયાત બનાવ્યું છે.ચેપગ્રસ્ત વ્યક્તિ ફક્ત ત્યારે જ ઘરના એકાંત માટે જઈ શકે છે જો વહીવટતંત્રને લાગે કે વ્યક્તિને તેના ઘરની અંદર એકલતા માટે પૂરતી જગ્યા મળી શકે છે.