ડાકોર રણછોડરાયજી મંદિરમાં સેવાપૂજાને લઈ વિવાદ, પૂર્વ સેવકની બે દીકરીઓને પ્રવેશ ન અપાયો

ડાકોરના રણછોડરાયજી મંદિરમાં 1978 પહેલા કૃષ્ણલાલ સેવકનો પરિવાર વારાદરી તરીકે પૂજા કરતો હતો, પરંતુ તેમના સંતાનમાં બે દીકરી હોવાથી પૂજા અંગે વિવાદ ઉઠ્યો,

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 3:36 PM

ડાકોરના સુપ્રસિદ્ધ રણછોડરાયજી મંદિરમાં સેવાપૂજાને લઈ વિવાદ વકર્યો, રણછોડજી મંદિરમાં પૂર્વ સેવકની બે દીકરી સેવાપૂજા કરવા પહોંચી. જો કે મંદિર કમિટીએ સેવાપૂજાની પરવાનગી ન આપી. તો પૂર્વ સેવકની પુત્રીઓ ઈન્દિરાબેન અને ભગવતીબેને મંદિરની બહાર જ બેસી ગયા. ઈન્દિરાબેને આક્ષેપ કર્યો કે કોર્ટના ચુકાદા છતાં તેમને સેવા પૂજા કરતા રોકવામાં આવે છે. આ બહેનોએ મંદિરના ટ્રસ્ટીઓ ધમકાવતા હોવાનો પણ આરોપ કર્યો. લગ્ન બાદ પરગોત્રી થતા વંશપરંપરાગત પૂજાનો હક જતો રહે તેવી વાતને પણ બંને બહેનોએ નકારી કાઢી,

રણછોડરાયજી મંદિરના 1200 વર્ષના ઈતિહાસમાં ક્યારેય મહિલાઓને સેવાપૂજાની હજુ સુધી મંજૂરી મળી નથી, ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજરે કહ્યું કે સેવકના પુત્રો જ પૂજા કરી શકે તેવું સ્પષ્ટ લખાણ છે, કોર્ટે પણ તેમની તરફેણમાં કોઈ ચુકાદો આપ્યો નથી, આ બહેનો સ્ત્રીઓના સમાન હકના નામે સૌને ગેરમાર્ગે દોરી રહ્યાં છે,

ડાકોર મંદિરમાં સેવાપૂજાની માગ કરનારા ઈન્દિરાબેનની વાત તેમના કૌટુંબિક ભાઈએ ફગાવી, બિરેનભાઈ સેવકે કહ્યું કે પૌરાણિક કરાર અનુસાર તેમની માગણી જરા પણ વ્યાજબી નથી,

ડાકોરના રણછોડરાયજી મંદિરમાં 1978 પહેલા કૃષ્ણલાલ સેવકનો પરિવાર વારાદરી તરીકે પૂજા કરતો હતો, પરંતુ તેમના સંતાનમાં બે દીકરી હોવાથી હક રદ્દ કરાયો, ત્યારે કૃષ્ણલાલ સેવકના ભાઈઓ જ્યંતિલાલ અને ગરાધર સેવકે પોતે પૂજા કરશે તેવો કોર્ટમાં કેસ કર્યો હતો. 2018ના વર્ષમાં કેસનો ચુકાદો પોતાની તરફેણમાં હોવાનો ઈન્દિરાબેન અને ભગવતીબેને દાવો કર્યો છે. જો કે બંને બહેનો કોર્ટનો કોઈ ચુકાદો ટેમ્પલ કમિટી સમક્ષ રજૂ કરી શકી નથી.

 

 

Follow Us:
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">