સોમવારથી ખુલી રહ્યા છે ધાર્મિક સ્થળો, મુખ્યપ્રધાન રૂપાણીએ વીડિયો કોન્ફરન્સથી ધાર્મિક આગેવાનો સાથે કરી ચર્ચા
8 જૂન એટલે કે સોમવારથી ધાર્મિક સ્થળો ખુલવા જઈ રહ્યા છે ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ધાર્મિક આગેવાનો સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી છે. રાજ્યમાં આવેલા મોટા મંદિરો, દેરાસર સહિતના ધાર્મિક સ્થળોના સંચાલકો સાથે ચર્ચા કરી છે. મુખ્યપ્રધાને કહ્યું કે મંદિરો માત્ર દર્શન માટે જ ખોલવામાં આવી રહ્યા છે. જો કે મંદિરોમાં ઉત્સવને જૂન કે જુલાઈ […]
8 જૂન એટલે કે સોમવારથી ધાર્મિક સ્થળો ખુલવા જઈ રહ્યા છે ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ધાર્મિક આગેવાનો સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી છે. રાજ્યમાં આવેલા મોટા મંદિરો, દેરાસર સહિતના ધાર્મિક સ્થળોના સંચાલકો સાથે ચર્ચા કરી છે. મુખ્યપ્રધાને કહ્યું કે મંદિરો માત્ર દર્શન માટે જ ખોલવામાં આવી રહ્યા છે. જો કે મંદિરોમાં ઉત્સવને જૂન કે જુલાઈ સુધી કોઈ પરવાનગી નહીં આપવામાં આવે. તો મંદિરોમાં ભીડ એકત્ર ન થાય તે માટે ભક્તો માટે ટોકન સિસ્ટમ આપવાની વાત પણ મુખ્યપ્રધાને કરી છે.
આ પણ વાંચો: રાજ્યના વાતાવરણમાં પલટો, ભાવનગરના વિવિધ વિસ્તારમાં સતત 3 દિવસથી વરસાદ
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો