Kutch : મુખ્યપ્રધાન રૂપાણીએ કરી મોટી જાહેરાત, કચ્છના 6 તાલુકાના 96 ગામોને મળશે નર્મદાનું પાણી

પાણીની અછત ધરાવતા કચ્છ જિલ્લાના રાપર, અંજાર, મૂંદ્રા, માંડવી, ભૂજ અને નખત્રાણા એમ 6 તાલકુાના 96 ગામોની 2 લાખ 35 હજાર એકર જેટલી જમીનમાં પાણી પહોંચતુ થશે.

Kutch : મુખ્યપ્રધાન રૂપાણીએ કરી મોટી જાહેરાત, કચ્છના 6 તાલુકાના 96 ગામોને મળશે નર્મદાનું પાણી
ખેડૂતોના હિત માટે મૂખ્યમંત્રીએ લીધો નિર્ણય
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Jul 05, 2021 | 8:05 PM

Kutch : વર્ષોથી નર્મદાના પાણી (NARMDA WATER) માટે રાહ જોતા કચ્છ જિલ્લા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM RUPANI) એ આજે જુલાઈએ એક મહત્વની જાહેરાત કરી છે. કચ્છને ફાળવાયેલા નર્મદાના પૂરના વહિ જતા વધારાના ૧ મિલીયન એકર ફિટ પાણીનો મહત્તમ લાભ કચ્છને આપવાના નિર્ણયની આજે મુખ્યપ્રધાને જાહેરાત કરી હતી. આ સાથે કચ્છ શાખા નહેરના કામોની હાલની સ્થિતી ધ્યાનમાં રાખીને હાલના તબક્કા-1 અંતર્ગત રૂ.3475 કરોડના કામો હાથ ધરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

6 તાલુકાના 96 ગામોને મળશે નર્મદાનું પાણી આ જાહેરાત સાથે મુખ્યપ્રધાને (CM RUPANI)રાજ્યના જળસંપત્તિ વિભાગને કામો ઝડપથી હાથ ધરવાની સૂચનાઓ પણ આપી છે આ કામો ઝડપથી પુર્ણ થવાના પરિણામ સ્વરૂપે પાણીની અછત ધરાવતા કચ્છ જિલ્લાના રાપર, અંજાર, મૂંદ્રા, માંડવી, ભૂજ અને નખત્રાણા એમ 6 તાલકુાના 96 ગામોની 2 લાખ 35 હજાર એકર જેટલી જમીનમાં પાણી પહોંચતુ થશે.

કચ્છના લોકોની લાંબા સમયથી લાગણી હતી સરકારના નિર્ણયથી કચ્છમાં 3 લાખ 80 હજાર જેટલી માનવ વસ્તીને પણ નર્મદાના પાણીનો લાભ મળતો થશે. નર્મદાના વહી જતા વધારાના 3 મિલીયન એકર ફિટ પાણીમાંથી 1 મિલીયન એકર ફિટ પાણી સૌરાષ્ટ્રને, 1 મિલીયન એકર ફિટ ઉત્તર ગુજરાતને અને 1 મિલીયન એકર ફિટ કચ્છને ફાળવવાનો નિર્ણય વડાપ્રધાન મોદી(PM MODI)એ ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન તરીકે કર્યો હતો પરંતુ કચ્છ માટે તે શક્ય બન્યુ ન હતુ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ સાથે જ આ કામો પણ ઝડપી બનશે

1) નર્મદાના વધારાના પાણી આપવાનુ કામ ઝડપથી પુર્ણ કરવા સાથે કચ્છ શાખા નહેરની સાંકળ 105 કીમી પાસેથી પાઇપલાઇન દ્વારા સરન જળાશય ભરવાનું તથા આસપાસના વિસ્તારમાં પાણી આપવાનું આયોજન છે. અંદાજિત રકમ રૂ. 500 કરોડના ખર્ચે આ કામ હાથ ધરાશે અને આ કામ પુર્ણ થવાથી રાપર તાલુકાના 9 ગામોના અંદાજે 42,000 એકર વિસ્તારને સિંચાઇમાં તથા 50,000 લોકોને લાભ થશે.

2) સધર્ન લીંક તબક્કો-1 અંતર્ગત ટપ્પર જળાશયમાંથી માંડવી તાલુકાના દસરડી જળાશય સુધીની કામગીરી હાથ ધરાશે. અંદાજિત રૂ.1225 કરોડના ખર્ચે થનાર આ કામના પરિણામે અંજાર, માંડવી, મુંદ્રા અને ભુજ એમ ચાર તાલુકાના 35 ગામોના અંદાજે 75,000 એકર વિસ્તાર તથા 1,10,000 લોકોને લાભ મળશે.

એટલું જ નહિ, આ લીંકથી અંજાર તાલુકાના 6, મુંદ્રા તાલુકાના 6, માંડવી તાલુકાના 5 અને ભુજ તાલુકાના 3 એમ કુલ 20 જળાશયોને પાણીથી ભરવામાં આવશે.

3) ટપ્પર જળાશયમાંથી  ભુજ તાલુકાના જમારા જળાશય સુધી કામગીરી હાથ ધરવાનું આયોજન છે. અંદાજિત રૂ.1200 કરોડના ખર્ચે આ કામોને પણ અંજાર અને ભુજ એમ બે તાલુકાના કુલ 20 ગામોના અંદાજે 38,000 એકર વિસ્તાર તથા 1,10,000 લોકોને લાભ મળશે. આ લીંકથી ભુજ  તાલુકાના 6 જળાશયોમાં પાણી નાખવામાં આવશે. તેવુ આયોજન છે.

4) ટપ્પર ડેમમાંથી નખત્રાણા તાલુકાના નિરોણા ડેમ સુધી કામગીરી હાથ ધરવામાં આવશે જેનો અંદાજિત ખર્ચે રૂ.1200 કરોડ થશે જેથી અંજાર, ભુજ અને નખત્રાણા તાલુકાના કુલ 32 ગામોના અંદાજે 80,000 એકર વિસ્તાર તથા 1,45,000 લોકોને લાભ મળશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">